Skip to main content

ભાવનગરમાં શહિદ સ્મારક બનાવવાની દરખાસ્ત ભાજપે બહુમતીના જોરે ફગાવી



- મહાપાલિકાની સાધારણ સભામાં 14 ઠરાવને સર્વાનુમતે બહાલી અપાઈ 

- કિસાન આંદોલનમાં 700 જેટલા ખેડૂતના મૃત્યુ થયા તેનુ શહિદ સ્મારક બનાવવા વિપક્ષના નેતાએ દરખાસ્ત કરી હતી, ભાજપના 38 નગરસેવકે નામંજુર કરી 

ભાવનગર : ભાવનગરમાં શહિદ સ્મારક બનાવવાની કોંગ્રેસની દરખાસ્ત આજે સોમવારે મહાપાલિકાની સાધારણ સભામાં ભાજપે બહુમતીના જોરે ફગાવી દીધી હતી તેથી કોંગ્રેસમાં રોષ ફેલાયો હતો. મનપાની સાધારણ સભામાં જુદા જુદા કામના ૧૪ ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સાધારણ સભામાં કોંગ્રેસના નગરસેવકોએ જર્જરીત શોપીંગ સેન્ટર સહિતના કેટલાક સવાલ ઉઠાવી યોગ્ય કરવા માંગણી કરી હતી.  

મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે આજે સોમવારે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી, જેમાં કોંગ્રેસના નગરસેવક અને વિપક્ષના નેતા ભરત બુધેલીયાએ દરખાસ્ત કરી હતી કે, કિસાન વિરોધી બીલ પરત ખેંચવા માટે ઉપવાસ પર ઉતરેલા કિસાનોનો વિજય થયો છે અને છેલ્લા એક વર્ષથી ચાલતા આંદોલોન સામે સરકાર જુકી છે. કિસાનોએ લોકશાહી ઢબે આંદોલન કરી સરકારમાં બીલ પરત કરવા માટે મજબુર કરેલ અને પરિણામે લોકશાહીનો વિજય થયો પરંતુ દુઃખની બાબતએ છે કે, ૭૦૦ જેટલા ખેડૂતો આ આંદોલન દરમિયાન શહિદ થયા તે ભારતના ઇતિહાસમાં કરૃણ ઘટના ઘટી છે, ભારત વર્ષમાં આ કલંક સમાન છે તો આ શહિદ થયેલા અન્નદાતાઓની સ્મૃતિમાં ભાવનગર શહેરમાં શહિદ સ્મારક બનાવવાની મંજુરી આપવી જોઈએ. 

વિપક્ષના નેતાની આ દરખાસ્તને મેયરે નામંજુર કરી હતી અને મતદાન કરવામાં આવ્યુ હતુ, જેમાં દરખાસ્તની તરફેણમાં ૬ મત અને વિરોધમાં ૩૮ મત મળ્યા હતા તેથી મતદાનના આધારે બહુમતીના જોરથી ભાજપે કોંગ્રેસની શહિદ સ્મારક બનાવવાની દરખાસ્ત નામંજુર કરી હતી. શહિદ સ્મારકની દરખાસ્ત ભાજપ દ્વારા નામંજુર કરવામાં આવતા કોંગ્રેસમાં કચવાટ ફેલાયો હતો. કોંગ્રેસના નગરસેવકે મૃત્યુ પામેલ ખેડૂતો માટે બે મીનીટ મૌન પાળવા જણાવ્યુ હતુ પરંતુ ભાજપના સભ્યોએ બે મીનીટનુ મૌન પણ પાળ્યુ ના હતુ અને સભા પૂર્ણ કરી ચાલતી પકડી હતી. કોંગ્રેસના નગરસેવકોએ મૌન પાળ્યુ હતું. સીટી એન્જીનીયર તરીકે વિજય પંડીતને થોડા માસ પૂર્વે મહાપાલિકાના કમિશનરે ચાર્જ આપ્યો છે પરંતુ અધિકારીને ચાર્જ આપતી વખતે બોર્ડની મંજુરી લીધી નથી તેવુ કારણ આપી અધિકારીને સીટી એન્જીનીયરના ચાર્જમાંથી હટાવવા મનપાની સાધારણ સભામાં અધ્યક્ષ સ્થાને ઠરાવને મંજુરી આપવામાં આવી હતી. આ અંગે બે દિવસ પૂર્વે મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિમાં પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. સીટી એન્જીનીયરનો ચાર્જ આપ્યો તેને કેટલાક માસ થઈ ગયા છે પરંતુ બોર્ડની મંજુરી લીધી નથી તે સત્તાધારી ભાજપને હવે કેમ યાદ આવ્યુ ? તેમ મનપામાં ચર્ચાય રહ્યુ છે. આ મામલે મનપામાં કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે. 

સાધારણ સભામાં લીઝપટ્ટા રીન્યુઅલ કરવા, મનપાના કર્મચારીઓને (૧ર-૧૪) ઉચ્ચતર પગાર ધોરણની યોજનાનો ઉચ્ચતર પગાર ધોરણ લાગુ પાડવા માટે રચાયેલ કમિટિના અહેવાલ અનુસાર લાભ આપવો સહિતના જુદા જુદા ૧૪ ઠરાવને સર્વાનમતે મંજુરી આપવામાં આવી હતી. 

https://ift.tt/3D50BHg

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>