Skip to main content

ભાવનગરમાં શહિદ સ્મારક બનાવવાની દરખાસ્ત ભાજપે બહુમતીના જોરે ફગાવી



- મહાપાલિકાની સાધારણ સભામાં 14 ઠરાવને સર્વાનુમતે બહાલી અપાઈ 

- કિસાન આંદોલનમાં 700 જેટલા ખેડૂતના મૃત્યુ થયા તેનુ શહિદ સ્મારક બનાવવા વિપક્ષના નેતાએ દરખાસ્ત કરી હતી, ભાજપના 38 નગરસેવકે નામંજુર કરી 

ભાવનગર : ભાવનગરમાં શહિદ સ્મારક બનાવવાની કોંગ્રેસની દરખાસ્ત આજે સોમવારે મહાપાલિકાની સાધારણ સભામાં ભાજપે બહુમતીના જોરે ફગાવી દીધી હતી તેથી કોંગ્રેસમાં રોષ ફેલાયો હતો. મનપાની સાધારણ સભામાં જુદા જુદા કામના ૧૪ ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સાધારણ સભામાં કોંગ્રેસના નગરસેવકોએ જર્જરીત શોપીંગ સેન્ટર સહિતના કેટલાક સવાલ ઉઠાવી યોગ્ય કરવા માંગણી કરી હતી.  

મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે આજે સોમવારે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી, જેમાં કોંગ્રેસના નગરસેવક અને વિપક્ષના નેતા ભરત બુધેલીયાએ દરખાસ્ત કરી હતી કે, કિસાન વિરોધી બીલ પરત ખેંચવા માટે ઉપવાસ પર ઉતરેલા કિસાનોનો વિજય થયો છે અને છેલ્લા એક વર્ષથી ચાલતા આંદોલોન સામે સરકાર જુકી છે. કિસાનોએ લોકશાહી ઢબે આંદોલન કરી સરકારમાં બીલ પરત કરવા માટે મજબુર કરેલ અને પરિણામે લોકશાહીનો વિજય થયો પરંતુ દુઃખની બાબતએ છે કે, ૭૦૦ જેટલા ખેડૂતો આ આંદોલન દરમિયાન શહિદ થયા તે ભારતના ઇતિહાસમાં કરૃણ ઘટના ઘટી છે, ભારત વર્ષમાં આ કલંક સમાન છે તો આ શહિદ થયેલા અન્નદાતાઓની સ્મૃતિમાં ભાવનગર શહેરમાં શહિદ સ્મારક બનાવવાની મંજુરી આપવી જોઈએ. 

વિપક્ષના નેતાની આ દરખાસ્તને મેયરે નામંજુર કરી હતી અને મતદાન કરવામાં આવ્યુ હતુ, જેમાં દરખાસ્તની તરફેણમાં ૬ મત અને વિરોધમાં ૩૮ મત મળ્યા હતા તેથી મતદાનના આધારે બહુમતીના જોરથી ભાજપે કોંગ્રેસની શહિદ સ્મારક બનાવવાની દરખાસ્ત નામંજુર કરી હતી. શહિદ સ્મારકની દરખાસ્ત ભાજપ દ્વારા નામંજુર કરવામાં આવતા કોંગ્રેસમાં કચવાટ ફેલાયો હતો. કોંગ્રેસના નગરસેવકે મૃત્યુ પામેલ ખેડૂતો માટે બે મીનીટ મૌન પાળવા જણાવ્યુ હતુ પરંતુ ભાજપના સભ્યોએ બે મીનીટનુ મૌન પણ પાળ્યુ ના હતુ અને સભા પૂર્ણ કરી ચાલતી પકડી હતી. કોંગ્રેસના નગરસેવકોએ મૌન પાળ્યુ હતું. સીટી એન્જીનીયર તરીકે વિજય પંડીતને થોડા માસ પૂર્વે મહાપાલિકાના કમિશનરે ચાર્જ આપ્યો છે પરંતુ અધિકારીને ચાર્જ આપતી વખતે બોર્ડની મંજુરી લીધી નથી તેવુ કારણ આપી અધિકારીને સીટી એન્જીનીયરના ચાર્જમાંથી હટાવવા મનપાની સાધારણ સભામાં અધ્યક્ષ સ્થાને ઠરાવને મંજુરી આપવામાં આવી હતી. આ અંગે બે દિવસ પૂર્વે મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિમાં પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. સીટી એન્જીનીયરનો ચાર્જ આપ્યો તેને કેટલાક માસ થઈ ગયા છે પરંતુ બોર્ડની મંજુરી લીધી નથી તે સત્તાધારી ભાજપને હવે કેમ યાદ આવ્યુ ? તેમ મનપામાં ચર્ચાય રહ્યુ છે. આ મામલે મનપામાં કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે. 

સાધારણ સભામાં લીઝપટ્ટા રીન્યુઅલ કરવા, મનપાના કર્મચારીઓને (૧ર-૧૪) ઉચ્ચતર પગાર ધોરણની યોજનાનો ઉચ્ચતર પગાર ધોરણ લાગુ પાડવા માટે રચાયેલ કમિટિના અહેવાલ અનુસાર લાભ આપવો સહિતના જુદા જુદા ૧૪ ઠરાવને સર્વાનમતે મંજુરી આપવામાં આવી હતી. 

https://ift.tt/3D50BHg

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...