Skip to main content

Gujarat Corona Death: ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા છતાં શું છે ચિંતાની વાત ? લોકોમાં કેમ ફેલાયો છે ફફડાડ


<p><strong>Gujarat Corona Cases:</strong> &nbsp;ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો રાહતજનક ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11794 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક 11 દિવસ બાદ 1 લાખથી નીચે આવ્યો છે. રાજ્યમાં હાલ 98021 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે અને 285 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જોકે, કોરોનાથી સતત વધી રહેલો મૃત્યુઆંક ચિંતાનો વિષય છે. 27 મે બાદ સૌથી વધુ 33 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 8, સુરત-રાજકોટ-ભાવનગરમાંથી 5, વડોદરામાંથી 3, આણંદ-વલસાડમાંથી 2, જામનગર-બોટાદ-ખેડામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે 10408 છે.</p> <p>આ પૈકી જાન્યુઆરીમાં જ 290 વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3990-ગ્રામ્યમાંથી 76 સાથે 4066 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત વડોદરા એવો જિલ્લો છે જ્યાં કોરોનાના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 1816-ગ્રામ્યમાં 441 સાથે 2257 કેસ નોંધાયા છે.આમ, રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 11,44,585 છે.છેલ્લા 24 કલાકમાં 21655 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 10,36,156 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 90.53 ટકા છે.</p> <p><strong>અમદાવાદમાં શું છે સ્થિતિ</strong></p> <p>ગુજરાતની સાથે અમદાવાદમાં પણ કોરોના કેસ ઘટી રહ્યા છે. &nbsp;અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાતા લોકો હવે કેસ ઘટતા રાહત અનુભવી રહ્યા છે.શનિવારે શહેરમાં શુક્રવારની સરખામણીમાં 415 કેસ ઓછા નોંધાયા હતા.કોરોનાના નવા 3990 કેસ અને સાત સંક્રમિત દર્દીના મોત નોંધાતા આગામી દિવસોમાં શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.શહેરમાં હાલમાં 30 હજાર જેટલા કોરોનાના એકટિવ કેસ છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 140 અને ખાનગી હોસ્પિટલોમાં 249 દર્દી સારવાર હેઠળ છે.</p> <p>શહેરમાં 28 જાન્યુઆરીએ કોરોનાના 4405 કેસ નોંધાયા હતા.શનિવારે નવા નોંધાયેલા 3990 કેસની સામે 8177 દર્દી સાજા થયા હતા. એસ.વી.પી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 140 દર્દી પૈકી 67 દર્દી ઓકિસજન-આઈસીયુ બેડ ઉપર સારવાર લઈ રહ્યા છે.શહેરના સાત ઝોનમાં હાલમાં 30 હજાર એકિટવ કેસ છે.મ્યુનિ.તંત્ર દ્વારા રોજ સાત હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.</p> <p>શનિવારે શહેરના વધુ 12 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર,બોપલ,સાઉથ બોપલ,સરખેજ અને વેજલપુરના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.દક્ષિણ ઝોનમાં ઈસનપુરના એક સંક્રમિત સ્થળ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં મોટેરા તથા મધ્યઝોનમાં શાહપુરના એક સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયુ હતું.ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા ઉપરાંત વસ્ત્રાપુર અને છારોડીના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.કુલ 105 સ્થળ એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...