Skip to main content

Gujarat Corona: ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો છતાં કેટલા દર્દી છે વેન્ટિલેટર પર ? જાણો વિગત


<p><strong>Gujarat Corona Cases:</strong> રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના 1646 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે વધુ 20 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ 15972 એક્ટિવ કેસ છે અને 103 દર્દીઓ વેન્ટિલેટર પર છે.</p> <p><strong>આ ત્રણ જિલ્લામાં નોંધાયા 100થી વધુ કેસ</strong></p> <p>શનિવાર છેલ્લા 24કલાક દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત એમ માત્ર ૩ જિલ્લા એવા છે જ્યાં કોરોનાના 100થી વધુ નવા કેસ નોંધ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 546 અને ગ્રામ્યમાં 14 સાથે 560, વડોદરા શહેરમાં 281-ગ્રામ્યમાં 90 સાથે 371, સુરત ગ્રામ્યમાં 70-શહેરમાં 46 સાથે 116 કેસનો સમાવેશ થાય છે.</p> <p><strong>કયા શહેર-જિલ્લામાં નોંધાયા 10થી ઓછા કેસ</strong></p> <p>રાજ્યમાંથી અન્યત્ર રાજકોટ શહેરમાં 57-ગ્રામ્યમાં 39 સાથે 96, ગાંધીનગર શહેરમાં 48-ગ્રામ્યમાં 32 સાથે 80, મહેસાણામાં 69, બનાસકાંઠામાં 64, ખેડામાં 38, સાબરકાંઠામાં 32, આણંદમાં 25, ભાવનગર શહેરમાં 12-ગ્રામ્યમાં 5 સાથે 17, મોરબીમાં 16, અમરેલીમાં 15, ભરૃચમાં 14, અરવલ્લી-નવસારી-પાટણમાં 13, કચ્છમાં 12, પંચમહાલમાં 10, દાહોદ-તાપી-વલસાડમાં 9, જુનાગઢ ગ્રામ્યમાં 6-શહેરમાં 3 સાથે 9, સુરેન્દ્રનગરમાં 8, જામનગર ગ્રામ્યમાં ૫-શહેરમાં 3 સાથે 8, નર્મદામાં 4, ડાંગ-દેવભૂમિ દ્વારકામાં 3, મહીસાગરમાં 2, ગીર સોમનાથ-પોરબંદરમાં 1 નવા કેસ નોંધાયા હતા.</p> <p><strong>કેટલો છે રિકવરી રેટ</strong></p> <p>છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 5, વડોદરામાં 4, સુરતમાં 3, ભરૂચ-ભાવનગરમાં 2, મહેસાણા-સાબરકાંઠા-પંચમહાલ-દાહોદમાં 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે 10,795 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 3955 દર્દી કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોના રીક્વરી રેટ હવે 97.80% છે.</p> <p><strong>રસીકરણની શું છે સ્થિતિ</strong></p> <p>રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18 ને પ્રથમ અને 34 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3307 ને પ્રથમ અને 11116 ને &nbsp;બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 16888 ને પ્રથમ અને 62385 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 16464 ને પ્રથમ અને 82993 ને બીજો ડોઝ અપાયો હતો. 35302 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે શનિવારે કુલ 2,28,507 &nbsp;કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,09,45,564 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...