Skip to main content

પ્રધાનમંત્રી મોદી યોજશે ત્રીજો રોડ શૉ, જાણો રોડ શોનો રુટ અને કાર્યક્રમની વિગત


<p><strong>PM Modi Gujarat Visit:</strong> ગુજરાતના પ્રવાસે આવેલા આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બીજો રોડ શો યોજ્યો છે. અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે 11મા ખેલ મહાકુંભના શુભારંભ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શૉ કરીને સરદાર પટેલ સ્ટેડિયમ પર પહોંચશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમ્યાન આ ત્રીજો રોડ શો કર્યો છે. આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ રુપે પીએમ મોદી સતત લોકો વચ્ચે જઈને ભાજપના 4 રાજ્યોમાં મળેલા વિજયનો સંદેશ પણ આપી રહ્યા છે.</p> <p><strong>PMના ત્રીજા રોડ શોનો રુટઃ</strong><br />પ્રધાનમંત્રીના આજના આ ત્રીજા રોડ શોનો રુટ જોઈએ તો, સાંજે 4.30 વાગ્યે આ રોડ શો શરુ થયો હતો. પીએમ મોદીએ ગાંધીનગરના રાજભવનથી આ રોડ શોની શરુઆત કરી હતી અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થશે. આ રોડ શોના રુટમાં ઈન્દિરા બ્રીજ, એરપોર્ટ સર્કલ, શાહીબાગ ડફનાળા, વાડજ સર્કલ, ઉસ્માનપુરા, સરદાર પટેલ સ્ટેચ્યુ થઈને સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પહોંચશે. આ રોડ શો દરમ્યાન પ્રધાનમંત્રી મોદી લોકોનું અભિવાદન ઝીલશે. આ રોડશોમાં અમદાવાદ શહેરના ભાજપ નેતાઓ, ભાજપ કાર્યકરો, શહેરના નાગરીકો ઉપસ્થિત રહેશે. ભાજપના કાર્યકરોમાં રોડ શોના આયોજનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p> <p><strong>11મા ખેલ મહાકુંભનો શુભારંભઃ</strong><br />સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સાંજે 6 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. આ ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં રાજ્યના વિવિધ 1100થી વધુ કલાકારો પરફોર્મ કરશે. આ કલાકારોમાં ગુજરાતના ખ્યાતમના કલાકારો પણ પોતાનું પરફોર્મન્સ રજુ કરશે.</p> <p>આજે PM નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. ત્યાં પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.</p> <p>દીક્ષાંત સમારોહમાં પીએમે મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જ્યારે ન્યાય પ્રણાલી સમયસર સજા આપી શકે છે, ત્યારે ગુનેગારોમાં ડર હોય છે. આઝાદી પછી આપણા દેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે કામ થવું જોઈતું હતું, પરંતુ કમનસીબે આપણે પાછળ રહી ગયા. આજે પણ સામાન્ય લોકો પોલીસથી દૂર રહેવા માંગે છે. આપણા દેશમાં સુરક્ષાના ક્ષેત્રમાં એવા લોકોને લાવવાની જરૂર છે, જેથી સામાન્ય માણસના મનમાં મિત્રતા અને વિશ્વાસની લાગણી અનુભવી શકે.&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...