Skip to main content

Ration Card: ગુજરાતમાં રેશનકાર્ડને લગતી તમામ માહિતી આ એપથી મેળવી શકશો, જાણો કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન


<p style="text-align: left;"><strong>Ration Card:</strong>&nbsp; જાહેર વિતરણ વ્યવસ્થામાં નાગરિકોને સુગમતા રહે તે હેતુસર ભારત સરકાર દ્વારા &ldquo;Mera Ration&rdquo; Mobile App તૈયાર કરવામાં આવી છે. તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા તથા નાગરિકોને રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ સરળતાથી ઉપલ્બ્ધ કરાવવા વહીવટી સુધારણાના ભાગરૂપે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ધ્વારા NIC-Gujarat ના સહયોગથી ભારત સરકારની &ldquo;Mera Ration&rdquo; Mobile app ના આધારે &ldquo;My Ration&rdquo;&nbsp; Mobile app તૈયાર કરવામાં આવી છે.</p> <p style="text-align: left;"><strong>ગવર્નમેન્ટ ટુ સિટીઝન છે આ એપ્લિકેશન</strong></p> <p style="text-align: left;">આ એપ્લીકેશન ગવર્નમેન્ટ ટુ સિટીઝન (G2C) એપ્લિકેશન છે. જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા અને રેશનકાર્ડને લગતી જુદી- જુદી માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ઘ કરાવવામાં આવી છે. &ldquo;My Ration&rdquo; Mobile app રેશનકાર્ડ ધારકોની સ્થાનિક જરૂરીયાત ધ્યાને લઈને ડિઝાઈન કરવામાં આવી છે, જેમાં દરેક NFSA રેશનકાર્ડધારક તેના રેશનકાર્ડની વિગતવાર માહિતી, પરિવારના સભ્યોની વિગતો, પોતાને મળવાપાત્ર જથ્થાની વિગત, જથ્થાની કિંમત, છેલ્લા ૬ માસના જથ્થાના વિતરણની વિગત વગેરે પ્રકારની પ્રાથમિક માહિતી મેળવી શકે છે.</p> <p style="text-align: left;"><strong>કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન</strong></p> <p style="text-align: left;">મોબાઇલ એપ્લિકેશનમાં વપરાશકર્તાએ મોબાઇલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી.નો ઉપયોગ કરીને પોતે રજીસ્ટર&nbsp; કરાવવાનું રહેશે. અહીં મોબાઈલ નંબર ફરજીયાત રહેશે. દરેક રેશનકાર્ડધારક પોતે વાપરતા હોઇ તે જ મોબાઈલ નંબર દાખલ કરે તે ખુબ જરૂરી છે. નોંધણી પછી વપરાશકર્તા એપ્લિકેશનમાં પ્રવેશ કરી શકે છે.</p> <p style="text-align: left;"><strong>આ એપથી શું મળશે વિગત</strong></p> <p style="text-align: left;">આ એપ થકી વપરાશકર્તા તેમનો રેશનકાર્ડ નંબર દાખલ કરીને રેશનકાર્ડની વિગત અને પરિવારની વિગતોની સાથે રેશનકાર્ડ સાથે જોડાયેલ વાજબી ભાવની દુકાનની વિગતો અને પોતાને મળવાપાત્ર જથ્થાની પણ વિગતો મેળવી શકે છે. આ ઉપરાંત પોતે છ માસમાં કેટલો જથ્થો મેળવ્યો છે તે પણ જાણી શકે છે. આ એપ થકી રેશનકાર્ડ ઘારક દુકાનેથી જથ્થાની ખરીદી બાદ તેમના રેશનકાર્ડ પર થયેલ વિતરણ અંગેના બિલની રસીદ મેળવી શકે છે. આ એપ થકી રેશનકાર્ડને લગતી સેવાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ ઉમેરવું-કમી કરવું, સરનામમાં સુઘારો કરવો, કાર્ડ વિભાજન, ડુપ્લિકેટ રેશનકાર્ડ, નવું રેશનકાર્ડ કઢાવવા જેવી સેવાઓ માટે રાજય સરકારના Digital Gujarat પ્લેટફોર્મ પર ઓનલાઇન અરજી કરી શકે છે.&nbsp;તેમજ રેશનકાર્ડઘારક જાહેર વિતરણ વ્યવસ્થાને લગતી રજુઆતો માટે ઓનલાઇન ફરિયાદ કરી પોતાનો પ્રતિભાવ પણ ઓનલાઇન આપી શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...