Skip to main content

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દિવ્યાંગો માટે કર્યો મહત્વનો નિર્ણય, હવે રાજ્ય બહાર પણ મળશે આ લાભ


<p><strong>GSRTC's Free Bus Ride for Divyang:</strong> રાજ્યના દિવ્યાંગો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ હવે રાજ્યના દિવ્યાંગ લોકો &nbsp;GSRTCની તમામ બસોમાં રાજ્યની બહાર પણ મફત મુસાફરી કરી શકશે.&nbsp;</p> <p><strong>3.18 લાખ દિવ્યાંગ બસપાસ ધારકોને લાભ મળશેઃ</strong></p> <p>આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત મુજબ હવે રાજ્યનો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ જે બસપાસ ધરાવે છે તે, બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીનો લાભ લઈ શકશે. મહત્વનું છે કે, આ નિર્ણયના પરિણામે 3.18 લાખ દિવ્યાંગ બસપાસ ધારકોને લાભ મળશે. GSRTC દ્વારા હાલ રાજ્ય બહાર અંદાજિત 168 બસ રૂટ ઉપર એસટી બસ કાર્યરત છે.&nbsp;</p> <p><strong>રાજ્ય સરકારને 2.5 કરોડનું ભારણ વધશેઃ</strong></p> <p>દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ, સારવાર, નોકરી ધંધાના સ્થળે વિનામૂલ્યે પ્રવાસ કરવા યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના સાથે અંદાજિત રૂ. 2.5 કરોડનું ભારણ રાજય સરકાર વહન કરશે.</p> <h4>રખડતા ઢોર મુદ્દે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, જીતુ વાઘાણીએ કરી જાહેરાત</h4> <p>ગાંધીનગરઃ ગુજરાત સરકારે રખડતા ઢોર મુદ્દે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો પશુને ઢોરવાડામાં મુકવામાં આવે છે. તેને વિનામુલ્યે રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ સરકાર ભોગવશે.&nbsp;</p> <p>ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મનપા અને નગરાપાલિકાના ઢોરવાડામાં પશુઓને વિનામુલ્યે રાખવાની મંજૂરી સરકારે આપી દીધી છે. રખડતા ઢોરના ત્રાસથી જનતાને મુક્ત કરવા રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઢોરવાડાની મર્યાદા હશે, ઘાસચારાની અછત હશે, તે તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. હંગામી ધોરણે તાત્કાલિક ઢોરવાડા બનાવવાનો આદેશ અપાયો છે. થોડા દિવસોમાં તેની અમલવારી કરવામાં આવશે.&nbsp;</p> <p><strong>આ પણ વાંચોઃ</strong></p> <p><strong><a title="Gujarat Agriculture Scheme: ગુજરાતમાં પપૈયાની ખેતી કરતાં ખેડૂતોને રાજ્ય સરકાર આપે છે આટલી સહાય ? જાણો વિગત" href="https://ift.tt/H7sudNO" target="">Gujarat Agriculture Scheme: ગુજરાતમાં પપૈયાની ખેતી કરતાં ખેડૂતોને રાજ્ય સરકાર આપે છે આટલી સહાય ? જાણો વિગત</a></strong></p> <p><strong><a title="Helmet Cleaning Tips: શું તમારું હેલ્મેટ ગંદુ થઈ ગયું છે ? આ ટિપ્સ અપનાવીને બનાવો નવા જેવું" href="https://ift.tt/7ZxVOMu" target="">Helmet Cleaning Tips: શું તમારું હેલ્મેટ ગંદુ થઈ ગયું છે ? આ ટિપ્સ અપનાવીને બનાવો નવા જેવું</a></strong></p> <p><strong><a title="Gujarat Rains: સાબરમતી નદીમાં પાણી આવતા ઇડરનું સપ્તેશ્વર મંદિરનું ગર્ભગૃહ પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો" href="https://ift.tt/NBZ2FOv" target="">Gujarat Rains: સાબરમતી નદીમાં પાણી આવતા ઇડરનું સપ્તેશ્વર મંદિરનું ગર્ભગૃહ પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો</a></strong></p> <p><strong><a title="Gujarat Rains: મહેસાણામાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી, જુઓ આ તસવીરો" href="https://ift.tt/fL4iMpj" target="">Gujarat Rains: મહેસાણામાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી, જુઓ આ તસવીરો</a></strong></p> <p><strong><a title="CBI Raids On RJD Leaders: સીબીઆઈના દરોડાથી BJP પર ભડક્યાં સુનીલ સિંહ, કહી આ વાત" href="https://ift.tt/kKVCvoh" target="">CBI Raids On RJD Leaders: સીબીઆઈના દરોડાથી BJP પર ભડક્યાં સુનીલ સિંહ, કહી આ વાત</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...