Skip to main content

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, ચૂંટણી પંચની ટીમે રાજકીય પક્ષો સાથે યોજી બેઠક


<p style="text-align: justify;"><strong>Gujarat Assembly Elections:</strong> ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસ &nbsp;ચૂંટણીલક્ષી સમીક્ષા કરશે. તેઓ ગુજરાતના રાજકીય પક્ષો, જિલ્લા કલેકટર અને પોલીસ વડા સાથે બેઠક કરશે.</p> <p style="text-align: justify;">ચીફ ઇલેક્શન કમિશ્નર રાજીવ કુમાર, ઇલેક્શન કમિશનર અનુપચંદ્ર પાંડે અને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં બે દિવસ ચૂંટણીની કામગીરી સંદર્ભે ચર્ચા અને આયોજન કરશે. આજે રાજકીય પક્ષો પાસેથી તેમના સૂચનો માંગવામાં આવ્યા. જ્યારે કલેકટર સાથેની બેઠકમાં ચૂંટણીની વ્યવસ્થા અને જિલ્લા પોલીસ વડા પાસે સુરક્ષા બાબતોને લઈને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે ભાજપ પક્ષે કેન્દ્રીય ચૂંટણી પક્ષ સાથે બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાન પ્રક્રિયામાં સમય વધારવા ઉપરાંત નીચેના સૂચન કર્યા છે.</p> <ul> <li style="text-align: justify;">લેબર કમિશ્નર દ્વારા કામદારોને મતદાન માટે છૂટછાટ અપાવવા સૂચન કર્યું</li> <li style="text-align: justify;">૮૦ વર્ષથી ઉપરના વૃદ્ધો અને દિવ્યાંગોને મતદાન માટે સૂચન</li> <li style="text-align: justify;">રોકડ રકમ, ચૂંટણી સામગ્રી, મુલ્યવાન સામગ્રી સહિતની બાબતોની જપ્તીને લઈ રજૂઆત કરવામાં આવી</li> <li style="text-align: justify;">નવી એસઓપી આવશે તેવી ચૂંટણી પંચે ખાતરી આપી</li> <li style="text-align: justify;">ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવી એસઓપી આવશે તેવી ખાતરી આપી</li> <li style="text-align: justify;">ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ વિવિધ ૨૩ સૂચનો મુકાયા</li> <li style="text-align: justify;">સ્ટાર પ્રચારકોને લઈ ભાજપ તરફથી સૂચન&nbsp;</li> <li style="text-align: justify;">સ્ટાર પ્રચારકોની નિર્ધારિત કરવામાં આવેલી ૪૦ સભ્યોની મર્યાદામાં ફેરફાર કરવા સૂચન</li> <li style="text-align: justify;">સ્ટાર પ્રચારકનો ખર્ચ રાજકીય પક્ષમાં ઉધારવા સૂચન&nbsp;</li> <li style="text-align: justify;">સ્ટાર પ્રચારકનો ખર્ચ ઉમેદવારમાં ન ઉધારવા સૂચન</li> <li style="text-align: justify;">પ્રધાનમંત્રીની રેલી દરમિયાન થતા વિવિધ ખર્ચ રાજકીય પક્ષ ઉઠાવવા જોઈએ અને ઉમેદવારો પર ખર્ચ ન બાંધવા સૂચન</li> <li style="text-align: justify;">ખર્ચ નિરીક્ષક દ્વારા અયોગ્ય હેરાનગતી ટાળવા સૂચનાઓ આપવા રજૂઆત</li> <li style="text-align: justify;">અન્ય સ્ટાર પ્રચારકોમાં પ્રધાનમંત્રીને અપવાદ ગણાવ્યા છે, રાષ્ટ્રિય સુરભીમાં કારણે વિશિષ્ટ સુવિધા અને આયોજનો થાય છે. આ ખર્ચ તેમજ હેલીપેડ, બેરિકેડિંગ, રેસ્ટ રૂમનો ખર્ચ થતો હોય છે જેનો ખર્ચ રાજકીય પક્ષો પર ઉઠાવવો જોઈએ.</li> </ul> <p style="text-align: justify;"><strong>કોંગ્રેસ પક્ષે &nbsp;પણ ચૂંટણી પંચ સાથેની બેઠક કરી&nbsp;</strong></p> <p style="text-align: justify;">કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી પહેલા થવી જોઈએ. ઈવીએમની ગણતરી બેલેટ પછી કરવા સૂચન કર્યું છે. મતદારોના નામ કમી થવા પર પણ સૂચન કર્યું છે. કોમ્યુનિટી અને સોસાયટીના નામ કમી થઈ જાય છે તેનું ધ્યાન રાખવામા આવે. ગેરરીતીઓ થતી અટકાવી જોઈએ. બે તબક્કામાં ચૂંટણી થાય તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ચૂંટણી સાથે થવી જોઈએ.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...