Skip to main content

Gujarat Congress: વિધાનસભામાં હાર બાદ ગુજરાત કોંગ્રેસ શરૂ કરશે ‘હાથ સે હાથ જોડો યાત્રા’


<p style="text-align: justify;"><strong>Gujarat Congress:</strong> વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ સામે આવી રહેલ લોકસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીઓ હવે સામે આવી રહી છે ત્યારે હવે કોગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર માટે શરુ કરેલ ભારત જોડો યાત્રાના સમર્થનમાં કોગ્રેસ આગામી સમયમાં ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રા શરુ કરવા જઈ રહી છે. જે અંતર્ગત પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા આજે વિસ્તૃત કારોબારી યોજવામાં આવી હતી.</p> <p style="text-align: justify;">પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા આજે વિસ્તૃત કારોબારી મળવા પામી હતી જેમાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહીત ધારાસભ્યો, આગેવાનો, તાલુકા પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં ભારત જોડો યાત્રાના સમર્થનમાં હાથ સે હાથ જોડો યાત્રા આગામી સમયમાં ગુજરાતમાં શરૂઆત થવાની છે. જેમાં લોકોના પ્રશ્રનો સાંભળવા યાત્રા નીકળશે તેની તૈયારીના ભાગ રૂપે આ બેઠક મળી હતી.</p> <p style="text-align: justify;">આ યાત્રા અંતર્ગત લોક સંપર્ક, લોકોને મળવાનો કાર્યક્રમ આ તમામ ગતિવિધિ લોકસભાની તૈયારી રૂપ થઇ રહ્યું છે. સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકાની ચૂંટણી આવી રહી છે તેની પણ તૈયારીઓ ચાલી રહી છે આમ લોકસભા સહીત જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાની ચૂંટણી માટે કોગ્રેસ સજ્જ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.</p> <p style="text-align: justify;">જગદીશ ઠાકોરે કહ્યું કે, ભાજપને 156 સીટ આવી પણ તેમાં લોકોમાં કે ભાજપમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી હીમ જેવી ઠડી પડી હોય તેવું ભાજપમાં લાગી રહ્યું છે તો અમારી સામે જે સવાલો આવી રહ્યા છે તેનું પણ મનોમંથન અમે કરી રહ્યા છીએ. ચૂંટણી હારવા પાછળ કોઈ એક કારણ નથી હજારો કારણ છે. જેના માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. સાથે ચુંટણી દરમ્યાન જે ફરિયાદો આવી છે તેની પણ નોંધ કરી છે પણ બીજેપી દ્વારા લોકશાહીની આખી સિસ્ટમ રૂપિયા પર કરી નાખી છે. અસામાજિક તત્વોને પેરોલ પર લાવી ચૂંટણી કેમ જીતી શકાય સહીત, ધમકાવી મતો કેવી રીતે તેમની તરફ કરી શકાય તે પ્રકારની રાજનીતિ કરી રહી છે.</p> <h3 class="article-title ">6 IAS અધિકારીઓની બદલી</h3> <p>ગુજરાતમાં 6 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 6 અંડર સેક્રેટરીને આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક અપાઈ છે. કુમારી કંચનની વિરમગામના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. &nbsp;નાતિશા માથુરની અંકલેશ્વરના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. યુવરાજ સિદ્ધાર્થની પાલીતાણાના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. જયંત કિશોર માંકલેની હિંમતનગરના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. કુમારી દેવાહુતીની ગોંડલના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે યોગેશ શિવકુમાર કપાશેની ડભોઇના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે.&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...