Skip to main content

Gujarat: આવતીકાલે વર્ગ-3 જૂનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા, 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આપશે પરીક્ષા


<p>ગાંધીનગરઃ કોરોનાના બે વર્ષ બાદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષાનું આયોજન કરાયું છે. 29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાશે. જેને માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. 2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે.</p> <p>લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું છે. જેને લઈને જિલ્લા સ્તરે પરિષદ દરમિયાન કોઈ કચાશ બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે.</p> <p>રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહેશે. 70 હજાર જેટલા વિવિધ વિભાગના કર્મચારીઓ આ પરીક્ષાની કામગીરી સંભાળવાના છે. તો તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રખાશે.</p> <p>&nbsp;</p> <h3 class="article-title ">Ahmedabad: અમદાવાદના સ્ટ્રીટ વેન્ડરોને વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્તિ અપાવવા પોલીસે શરુ કર્યો 'May We Help' પ્રોજેક્ટ, બેંકના અધિકારીઓ પણ આવ્યા મદદે</h3> <p><strong>અમદાવાદ:</strong>&nbsp;રાજ્યનું ગૃહ વિભાગ સામાન્ય જનતાને વ્યાજખોરીના વિષમાંથી મુક્તિ અપાવવા માટે દિવસ રાત એક કરીને લોકો વચ્ચે તેમની સમસ્યા સાંભળી રહ્યું છે. જેનાં ભાગરુપે અમદાવાદ શહેર પોલીસ પહેલીવાર સ્ટ્રીટ વેન્ડર પાસે જઈ વ્યાજખોરોની માયાજાળમાંથી બહાર લાવવાનું અભિયાન હાથ ધર્યું છે.<br />&nbsp;<br />રાજ્યભરમાં વ્યાજખોરોના આતંકથી સામાન્ય જનતાને મુક્ત કરાવવા માટે મેગા ડ્રાઇવ ચલાવી રહ્યું છે. રાજ્યભરમાં વ્યાજખોરો સામે ફરીયાદ પણ દાખલ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં અત્યાર સુઘી 47 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. તેવામાં હવે શહેર પોલીસ દ્વારા સ્ટ્રીટ વેન્ડર એટલે કે લારી, પાથરણાં વાળા, ટી સ્ટોલ ધારકો કે જેઓ રોજ કમાઈને ખાય છે. તેઓ વ્યાજખોરોની ચુંગલમાં ન આવે અને નિર્ભય બની વેપાર કરે તે માટે 'મે વી હેલ્પ' નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે.</p> <p>આજથી 3 દીવસ સુધી અમદાવાદ શહેરના તમામ 48 પોલીસ સ્ટેશનના PI, PSI સહિત ડિવિઝન અને ઝોનના અધિકારીઓ તેમનાં વિસ્તારના મુખ્ય પાથરણાં કે લારી ગલ્લા ધારકોને મળી વ્યાજે રૂપિયા ન લઈ, બેન્ક મારફતે અધિકૃત આર્થિક મદદ લેવા માટે પ્રેરિત કરી જાગૃત કરવામાં આવી રહ્યાં છે. બેંકના કર્મચારીઓ પણ ઓન ધ સ્પોટ તેમના દ્વારા નાના વેપારીઓને કરવામાં આવતી લોનની સહાય અંગે માહિતગાર કરી લોન આપવા માટેના ફોર્મ પણ ભરી રહ્યાં છે. રસપ્રદ બાબતે છે કે આ ખાસ પ્રોજેક્ટમાં ટ્રાફિક પોલીસ પણ વિવિધ મોટા જંકશન પર કાર્યરત ટી સ્ટોલ અને ખાણીપીણીના દુકાન ધારકોને મળીને વ્યાજખોરોની સામે જાગૃત કરી લોનની સમજ આપી રહી છે.&nbsp;</p> <h4 class="article-title ">અમદાવાદના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સતત બીજા દિવસે દરોડા</h4> <p><strong>અમદાવાદ:</strong>&nbsp;શહેરના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી છે. ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે. સતત બીજા દીવસે રેડની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 75 હજારના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે SMC ની રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. ગઇકાલની રેડ બાદ PI અને D સ્ટાફના PSI સહિત તેના સ્ટાફની કરાઈ બદલી કરી નાખવામાં આવી હતી</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...