Skip to main content

ગજરત કગરસન નવ સગઠન મટ દલહમ બઠક સપરણ વફદર અન યવઓન વધ મટ જવબદર સપવ અગ થશ ચરચ


<p><strong>Gujarat Congress:</strong> ગુજરાત વિધાનસભાની 2022માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહેતા 182માંથી માત્ર 17 બેઠકો જ મળી છે. પરિણામે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી જગદીશ ઠાકોરને હટાવીને તેની જગ્યાએ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને મૂકવામાં આવ્યા છે. ગોહિલ પદભાર સંભાળ્યા બાદ આજે દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ કે સી વેણુગોપાલ સાથે ગુજરાત કોંગ્રેસના 18 જેટલા અગ્રમી નેતાઓ મંથન કરશે. ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન અને ગુજરાતના નવા પ્રભારી માટે આ બેઠકમાં ચર્ચા થવાની છે. આ ઉપરાંત વિધાનસભાના કંગાળ પરિણામ પાછળના કારણો અંગે સત્ય શોધક કમિટીએ આપેલા રિપોર્ટ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવાની છે.</p> <p>ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માટે આજે દિલ્હી સ્થિત AICC હેડક્વાર્ટરમા ગૂજરાત કોંગ્રેસ માટે મહત્વની બેઠક મળવાની છે. કોંગ્રેસ હાઈકમાંડ અને ગુજરાત કોંગ્રેસના 18 જેટલા નેતાઓ બેઠક યોજાશે. બેઠકની અંદર જે મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તેમાં લોકસભાની આગામી ચૂંટણી અંગેની રણનીતિ અને આયોજન. નવા પ્રમુખ બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં નવી નિમણૂકો અંગે ચર્ચા થશે. કોંગ્રેસને વર્ષોથી વરેલા અને સંપૂર્ણ વફાદાર તેમજ યુવાઓને સંગઠનમાં વધુ અને મોટી જવાબદારી સોંપવા અંગે ચર્ચા રહેશે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી માટે પણ ચર્ચા થશે જેમાં બી કે હરિપ્રસાદનું નામ પ્રભારીની રેસમાં આગળ છે. બી કે હરિપ્રસાદ અગાઉ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે.</p> <p>મહારાષ્ટ્રના નેતા નીતિન રાઉતનું નામ પણ પ્રભરીના પદ માટે ચર્ચામાં છે. સત્ય શોધક કમિટીના સભ્ય નીતિન રાઉત હતા જેમણે પક્ષપાત વગર સચોટ રિપોર્ટ આપ્યો હોવાથી તેમની પણ શક્યતા રહેલી છે. વિધાનસભાના નબળા પરિણામ પાછળના કારણો અંગે રજૂ થયેલા રિપોર્ટ અંગે ચર્ચા થશે. આગામી સમયમાં ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા યોજાનારા કાર્યક્રમો અંગે બેઠકમાં&nbsp; આયોજન થશે. અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા બેઠકમાં રહેશે હાજર.</p> <p>પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર પૂર્વ વિપક્ષીનેતા સુખરામ રાઠવાએને પણ દિલ્હીનું તેડું મળ્યું છે. ભરતસિંહ સોલંકી, દીપક બાબરીયા, મધુસૂદન મિસ્ત્રી પણ બેઠકમાં હાજર રહેશે. શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પણ બેઠકમાં હાજર રહેશે. AICC ગુજરાત પાસેથી શું અપેક્ષા રાખે છે અને ગુજરાત કોંગ્રેસ AICC પાસેથી શું ઈચ્છે છે તે અંગે ચર્ચા કરવામાં આવશે.</p> <div class="article-data _thumbBrk uk-text-break"> <h4>Join Us on Telegram:&nbsp;<a title="https://ift.tt/WxzEdiX" href="https://ift.tt/WxzEdiX" target="_self" rel="nofollow">https://ift.tt/5dTXL62> </div>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...