Skip to main content

Gujarat Politics: ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, 20થી વધુ આપ નેતા અને સામાજિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા


<p style="text-align: justify;"><strong>Gujarat Politics:</strong> શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો શરુ થયો છે. ખેડા, આણંદ, અને અમદાવાદ જિલ્લાના આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા છે. 20થી વધુ આપના નેતા અને સામાજિક અગ્રણી કોંગ્રેસમાં જોડાતા લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.</p> <p style="text-align: justify;"><br /><img src="https://ift.tt/w7BhtWz" /><br /><strong>કોંગ્રેસ માં જોડાનારના નામ</strong></p> <ul> <li style="text-align: justify;">જયેશ ઠાકોર, લીંબડી વિધાનસભા&nbsp;</li> <li style="text-align: justify;">નલિન બારોટ, &nbsp;ખેડા જિલ્લા પ્રમુખ</li> <li style="text-align: justify;">સમીર વોરા, ખેડા શહેર પ્રમુખ</li> <li style="text-align: justify;">દિનેશ પરમાર, જનરલ સેક્રટરી ખેડા આપ</li> <li style="text-align: justify;">પ્રકાશ પટેલ, અમદાવાદ જિલ્લા મહામંત્રી&nbsp;</li> <li style="text-align: justify;">લક્ષ્મણ ચૌહાણ, એજ્યુકેશન સેલ આપ</li> <li style="text-align: justify;">મંત્રી પ્રમોદભાઈ ત્રાડા,શહેર સંગઠન મંત્રી,જેતપુર</li> </ul> <p style="text-align: justify;">આજે આ તમામ નેતાઓએ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તો બીજી તરફ સરકારને દંડ ફટકાર્યો તેના પર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારે નર્મદા બંધનું કામ પૂર્ણ કર્યું હતું. ભૂર્ગભજળની અવ્યવસ્થાને કારણે ગુજરાતને &nbsp;12.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. ગુજરાત સરકારે પ્રજાની માફી માંગવી જોઈએ. જળવ્યવસ્થાપન ગુજરાતમાં થાય તો ખેડૂત અને પશુપાલન ક્ષેત્રે જોડાયેલા લોકોને ફાયદો થશે.</p> <p style="text-align: justify;"><strong>જેતપુરમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ</strong></p> <p style="text-align: justify;">જેતપુર આમ આદમી પાર્ટીમાં પણ ભંગાણ સર્જાયું છે. શહેર સંગઠન મંત્રીએ પાર્ટી છોડી દીધી છે. આમ આદમી પાર્ટીમાંના શહેર સંગઠન મંત્રી પ્રમોદભાઈ ત્રાડા કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રસમાંથી આપમાં ગયેલ પ્રમોદભાઈ ત્રાડાની ઘર વાપસી થઈ છે. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનાં હાથે તેમણે હાથે ખેસ પહેર્યો હતો. જેતપુરમાં આપ પાર્ટીના શહેર સંગઠન મંત્રી સાથે અન્ય કાર્યકરો પણ વિધિવતરીતે કોંગ્રેસમાં જોડાયા હતા.</p> <h4 class="article-title ">લોકસભા ચૂંટણી 2024, અત્યાર સુધીમાં થયેલા તમામ સર્વેમાં કોની સરકાર બનવાનો અંદાજ&nbsp;</h4> <p>આગામી લોકસભા ચૂંટણી 2024 માટે, કોંગ્રેસ, TMC સહિત 24 વિરોધ પક્ષોએ NDAનો સામનો કરવા માટે INDIA ગઠબંધનની રચના કરી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન પણ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે, અત્યાર સુધી ઘણી ચેનલોએ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીની બેઠકોને લઈને સર્વે હાથ ધર્યો છે. ત્રણ મહત્વપૂર્ણ સર્વેના પરિણામો દ્વારા જાણો, NDA-INDIA ગઠબંધનમાં કોણ આગળ છે, કોને કેટલી સીટો મળવાની ધારણા છે? જો ત્રણેય સર્વેક્ષણો પર નજર કરીએ, તો નવીનતમ સર્વે ટાઇમ્સ નાઉ ઇટીજીનો છે, જે 15 જૂનથી 13 ઓગસ્ટની વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર એનડીએ અને INDIAના ગઠબંધનના વોટ શેરમાં માત્ર બે ટકાનો તફાવત જોવા મળ્યો છે. ત્રણેય સર્વે દ્વારા જાણીએ કે ચૂંટણીના મતદાનમાં કોને ફાયદો થવાની ધારણા છે અને કોની હાર થવાની છે?</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...