Skip to main content

Gujarat Rain: આજે ગુજરાતનાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું


<p><strong>Gujarat heavy rain forecast July 26:</strong> રાજ્યમાં ચોમાસાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.</p> <p>આજે, 26 જુલાઈના રોજ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.</p> <p>27 જુલાઈના રોજ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ ચાલુ રહેશે. આ દિવસે રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>28 જુલાઈના રોજ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, "આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. નાગરિકોને સાવચેત રહેવાની અને જરૂરી સાવચેતીના પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે."</p> <p>દેશના ઘણા રાજ્યોમાં ભયંકર વરસાદને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ડરામણી તસવીરો સામે આવી રહી છે. ત્રણેય રાજ્યોના અનેક શહેરો પાણીમાં ડૂબી ગયા છે. મહારાષ્ટ્રના પુણે શહેરમાં ગુરુવારે એટલો વરસાદ પડ્યો હતો કે ઘણા રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. આ જ સ્થિતિ એમપી અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ જોવા મળી હતી. રસ્તાઓ નદી બની ગયા છે. પુણેમાં વરસાદના એલર્ટને જોતા આવતીકાલે તમામ શાળા અને કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સેનાએ બચાવ કામગીરીની જવાબદારી લેવી પડી છે.</p> <p>મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 7 જિલ્લામાંથી 4 હજારથી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ગુજરાતમાં પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા છે, ગુજરાતના બનાસકાંઠામાં પણ વરસાદના કારણે સ્થિતિ ખરાબ છે. કટની જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારો પણ પાણી હેઠળ છે, ધીમરખેડા અને બહોરીબંધ તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો ટાપુઓમાં ફેરવાઈ ગયા છે. લોકો ઘરની છત પર પડાવ નાખી રહ્યા છે. એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...