Skip to main content

આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં


<p><strong>Anklav BJP:</strong> આંકલાવ આંકલાવ શહેર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં આજે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. એક સાથે 22 મહત્વપૂર્ણ હોદ્દેદારોએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.</p> <p>આ ઘટનાક્રમની શરૂઆત 18 ઓગસ્ટના રોજ થઈ હતી, જ્યારે આંકલાવ શહેર ભાજપના મહામંત્રી વિશાલ પટેલે અચાનક રાજીનામું આપ્યું હતું. તેમના સમર્થનમાં આજે વધુ 22 હોદ્દેદારોએ પણ પોતાના પદ છોડી દીધા છે.</p> <p>રાજીનામાં આપનારાઓમાં યુવા મોરચા પ્રમુખ મિહિર શાહ, શહેર સંગઠન ઉપપ્રમુખ વિપુલ ગુહા, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિતેશ દરજી, મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પીઠડીયા અને અન્ય મહત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.</p> <p>સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રાજીનામાઓનું મુખ્ય કારણ પક્ષમાં કોંગ્રેસમાંથી આવેલા કેટલાક લોકોની વધતી જતી દખલગીરી છે. ઉપરાંત, ગત નગરપાલિકા ચૂંટણીમાં મેન્ડેટના કારણે સસ્પેન્ડ થયેલા સભ્યોની તરફેણમાં થઈ રહેલી હિમાયતથી પણ સ્થાનિક કાર્યકરો નારાજ છે. આ ઘટનાએ આંકલાવ ભાજપમાં મોટું ગાબડું પાડ્યું છે અને ભર ચોમાસે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. કેટલાક લોકો ભાજપ જિલ્લા સંગઠનની નબળી નેતાગીરીને પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર હોવાનું કહી રહ્યાં છે. કૉંગ્રેસના ગઢમાં ભાજપી હોદેદારો સ્થાનિક સંગઠનથી નારાજ થતાં ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.&nbsp;</p> <p><strong>રાજીનામુ આપનાર હોદ્દેદારોનાં નામ</strong></p> <ul> <li>વિશાલ પટેલ (શહેર સંગઠન મહામંત્રી)</li> <li>મિહિર શાહ (યુવા મોરચા પ્રમુખ)</li> <li>વિપુલ ગુહા (શહેર સંગઠન ઉપપ્રમુખ)</li> <li>હિતેશ દરજી (બક્ષીપંચ મોરચા પ્રમુખ)</li> <li>સંજય મોચી (બક્ષીપંચ મોરચા મહામંત્રી)</li> <li>ઉર્મિલાબેન પંચાલ (શહેર સંગઠન ઉપપ્રમુખ)</li> <li>કૈલાશબેન રાજ (શહેર સંગઠન મંત્રી)</li> <li>સંજયભાઈ એ.પટેલ (શહેર સંગઠન મંત્રી)</li> <li>હિતેશભાઈ પટેલ (શહેર સંગઠન ઉપપ્રમુખ)</li> <li>અમિતાબેન શાહ (શહેર સંગઠન મંત્રી)</li> <li>સંજયભાઈ સી. પટેલ (કિશાન મોરચા પ્રમુખ)</li> <li>ગીતાબેન પીઠડીયા (મહિલા મોરચા પ્રમુખ)</li> <li>નીરૂબેન દરજી (મહિલા મોરચા મહામંત્રી)</li> <li>રશિકાબેન પટેલ (મહિલા મોરચા ઉપપ્રમુખ)</li> <li>આકાશ ઠાકોર (યુવા મોરચા મહામંત્રી)</li> <li>પ્રવીણભાઈ પઢિયાર (યુવા મોરચા કોષાધ્યક્ષ)</li> <li>સતિષભાઈ ઠાકોર (યુવા મોરચા ઉપપ્રમુખ)</li> <li>દિનેશભાઈ પઢિયાર (યુવા મોરચા મંત્રી)</li> <li>રીતેશ ગોહિલ (યુવા મોરચા મંત્રી)</li> <li>ભાવિન સોલંકી (અનુસૂચિત મોરચા કોષાધ્યક્ષ)</li> <li>નીરવ શાહ (શક્તિકૅન્દ્ર ઇન્ચાર્જ)</li> <li>મહેશ રાઠોડ (શક્તિકેન્દ્ર&nbsp; ઇન્ચાર્જ)</li> <li>નયન રાણા (સોશિયલ મીડિયા ઇન્ચાર્જ)</li> </ul> <h4>આ પણ વાંચોઃ</h4> <h4><a href="https://gujarati.abplive.com/news/gandhinagar/gujarat-party-switch-rumors-harsh-sanghvi-kirit-patel-2024-907991">ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ, જાણો આ વખતે કોંગ્રેસના ક્યા ધારાસભ્યનું નામ ચર્ચામાં આવ્યું...</a></h4>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...