Skip to main content

રાજકોટના સમાચાર:વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે સફાઈ અભિયાન શરૂ, રેલી-વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા


https://ift.tt/g13KGoi વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે જે અંતર્ગત આજરોજ શહેરમાં સી.આઇ.એસ.એફ. યુનિટ દ્વારા "સ્વછતા હી સેવા" અંતર્ગત સ્વછતા રેલી અને મેરેથોન યોજાયા હતા. આ કાર્યક્રમનું તા. 17 સપ્ટેમ્બરથી તા. 2 ઓક્ટોબર સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રારંભ નિમિતે સ્વચ્છતા રેલી યોજાઈ હતી. જી.એસ.ટી. કોલોનીથી રેસકોર્સ થઇને જૂના એરપોર્ટ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ તકે ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ એરપોર્ટના ડી.સી./સી.એ.એસ.ઓ.ના અધિકારી અમનદીપ સીરસવા દ્વારા આ સ્વછતા અંગેની રેલીનો ફ્લેગ ઓફ કરવામાં આવેલ હતું. જેમાં સી.આઇ.એસ.એફ.ના 45 જવાનો, મનપાના 25 સફાઇ કર્મચારીઓ, જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. 8 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા રાજકોટ ડિવિઝનના 8 કર્મચારીઓને રેલવે સેફટી માટે શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમએ સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે રાજકોટ ડિવિઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, ઇલેક્ટ્રિકલ વિભાગ (ટ્રેક્શન) અને ઈજનેરી વિભાગના કર્મચારીઓને ઓગસ્ટ, 2024 મહિનામાં રેલ્વે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં મનોજ મીણા (લોકો પાયલટ-ગુડ્સ, હાપા), મુકેશ કુમાર (એરિયા ટ્રેનિંગ સેન્ટર, રાજકોટ-ઈન્ચાર્જ), સંજય મિશ્રા (સ્ટેશન માસ્ટર, ભાટિયા), બિનેશ કુમાર (સ્ટેશન માસ્ટર, ભાટિયા), ગોવિંદ પ્રસાદ બૈરવા (સ્ટેશન માસ્ટર, ભાસ્કરપરા), રાહુલ કુમાર પટેલ (ગેટમેન ગેટ નંબર 69, એન્જિનિયરિંગ), મનીષ કુમાર મીના (સ્ટેશન માસ્ટર, જામવંથલી) અને દેવેન્દ્ર સિંહ (સ્ટેશન માસ્તર, સિંધાવદર)નો સમાવેશ થાય છે. આ રેલવે કર્મચારીઓ દ્વારા ટ્રેકની નજીક ટ્રેનના વ્હીલનું સ્પાર્કિંગ જોવું, લેવલ ક્રોસિંગ ફાટક પર અસામાન્ય પરિસ્થિતિ જોવી, લેવલ ક્રોસિંગ રેલવે ફાટક પર રોડ વાહનનું અચાનક આગમન વગેરે બાબતોને ધ્યાનમાં લઈને રેલવે કર્મચારીઓ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. અને આ રેલ્વે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલ્વે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન બેઠક 21 સપ્ટેમ્બરે યોજાશે રાજકોટમાં દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી રાજકોટ જિલ્લા કક્ષાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક તા. 21 સપ્ટેમ્બર, 2024ના શનિવારે સવારે 11 કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય સભા ખંડ ખાતે યોજવામાં આવી છે, જેની સભ્યોએ નોંધ લેવા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે. ભાદર-2 ડેમનો 1 દરવાજો ખોલાતા હેઠવાસના ગામને સાવચેત રહેવા સૂચના રાજકોટ ગોંડલ તાલુકા પાસે આવેલ ભાદર-2 ડેમના 2 દરવાજા હાલ સુધી 0.38 મીટર ખોલાયા હતા. હાલમાં વરસાદની આવક ઘટતા 1 દરવાજો બંધ કરી 1 દરવાજો 0.6 મીટર ખુલ્લો હોવાથી ભાદર-2 ધોરાજી તાલુકા પાસેનો ભાદર-2 ઓવરફ્લો થતાં ડેમના 4 દરવાજાને 1.5 ફૂટ ખોલવામાં આવ્યો છે, જેના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકાના ભોલા, ભોલ ગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગઢ, ગંદોદ, હાડફોડી, ઈસરા કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલંગણા, ઉપલેટા ગામના લોકોને સાવચેત રહેવા રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલ સેલ દ્વારા જણાવાયું છે. રાજકોટ જિલ્લાની હાઉસિંગ સોસાયટીઓને ઓડિટ કરવા સૂચના રાજકોટ જિલ્લાની તમામ હાઉસિંગ કો-ઓપરેટીવ સોસાયટી અને હાઉસિંગ સર્વિસ કો-ઓપરેટીવ સોસાયટીઓને તા. 31 માર્ચ-2024 સુધીનું ઓડિટ 30-5-25 સુધીમાં કરાવી લેવાનું રહેશે. રજિસ્ટ્રારની પેનલ (https://ift.tt/42OkEhN) પરના રાજકોટ જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના પેનલ ઓડિટરની નિમણૂક કરી, તે બદલની જાણ કચેરીમાં કરવા તેમજ સમયમર્યાદામાં ઓડિટ પૂર્ણ કરવા તથા ઓડિટ પૂર્ણ થયેથી ઓડિટ અહેવાલ સંબંધિત કચેરીઓમાં રજૂ કરવા, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસિંગ)ની યાદીમાં જણાવાયું છે. સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે તાલીમ વર્ગનું આયોજન ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024/25 દરમિયાન આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો તથા પેરા મિલિટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે, સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગ અંતગર્ત આ વર્ષે રોજગાર કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે 30 દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે, આ તાલીમમાં જોડાવા ઈચ્છુક રાજકોટ જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારોને મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી-રાજકોટને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, અધારકાર્ડ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. 30 સપ્ટેમ્બર સુધી સ્વખર્ચે પોતાની સંમતી આપની રહેશે. આ તાલીમ વર્ગ રાજકોટ ખાતે નિઃશુલ્ક યોજાશે, રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્રારા કરવામાં આવશે અને રૂ. 100નું સ્ટાઈપેંડ પ્રતિ દિન આપવામાં આવશે. ઉમેદવારોએ 30 દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...