Skip to main content

Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ


<p style="text-align: justify;"><strong>Chotaudepur:</strong> ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા કરવામાં આવી છે. પીપલદી ગામે ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગામના જ બે શખ્સો સામે આ હત્યાનો આરોપ છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.</p> <p style="text-align: justify;"><strong>શંકર રાઠવા અને &nbsp;રેવજી રાઠવા પર હત્યાનો આરોપ</strong></p> <p style="text-align: justify;">શંકર રાઠવા અને &nbsp;રેવજી રાઠવા પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સામે આવેલી વિગતો અનુસાર મોટર સાયકલ પર આવીને ફાયરિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. &nbsp;શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. &nbsp;અગાઉ ગ્રામપંચાયતની ચૂંટણીમાં &nbsp;શંકર રાઠવાની મૃતક સાથે થયેલ ઝગડાની અદાવત રાખી &nbsp;હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના નાના ભાઈનો પુત્ર હતો. આરોપી હાલ ફરાર છે અને મૃતદેહને PM અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડાયો છે.</p> <p style="text-align: justify;"><strong>ઈન્ચાર્જ એસપીએ આપ્યું નિવેદન</strong></p> <p style="text-align: justify;">છોટા ઉદેપુરમાં બનેવી બીજેપી નેતાની હત્યાને લઈને ઈન્ચાર્જ એસપીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુખ્ય આરોપી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શંકર રાઠવા નિવૃત આર્મી જવાન છે. પીપલદી ગામની નજીકના એક ગામમાંથી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બીજા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.</p> <p><strong>શું કહ્યું રામસિંહ રાઠવાએ?</strong></p> <p>આ હત્યાના બનાવ અંગે રામસિંહ રાઠવાએ એબિપી સાથે વાત કરતા કહ્યું કે, &nbsp;હાલ મને ઝઘડા વિશે કોઈ માહિતી નથી. કુલદીપ યુવા મોરચાનો કાર્યકર હતો. કુલદીપને કોઈ સાથે દુશ્મનાવટ હતી કે નહીં તેની મને ખબર નથી. શંકર રાઠવા આર્મીમાંથી ભાગીને આવ્યો છે. શંકર રાઠવાને કોઈપણ ભોગે ચૂંટણી લડવી હતી. પોલીસ રાતથી જ તપાસ કરી રહી છે. આખા બનાવ અંગે માહિતી મેળવવી પડશે.</p> <p><strong>કોંગ્રેસે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો</strong></p> <p>તો બીજી તરફ આ હત્યાની ઘટનાને લઈને કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, આ ઘટના ગંભીર અને ચિંતાનો વિષય છે. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. છાસવારે આવી ઘટનાઓ બનતી રહે છે.</p> <p><strong>આ પણ વાંચો...</strong></p> <h4 class="abp-article-title"><a title="Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી" href="https://ift.tt/z1Zo2vM" target="_self">Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી</a></h4>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>