Skip to main content

Ahmedabad: હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પહેલા ચેતીજજો, અમદાવાદ પોલીસ આ એપ્લિકેશનની મદદથી કરશે કાર્યવાહી


<p style="text-align: justify;"><strong>Ahmedabad:</strong> અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ ટ્રાફિકની સમસ્યા પણ સામે આવી રહી છે. આ ઉપરાંત વાહનચાલકો દ્વારા મોટી સંખ્યામાં ટ્રાફિકના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી જાય છે. હવે અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે કડક કાર્યવાહી &nbsp;કરવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે.</p> <p style="text-align: justify;">અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અને સંયૂક્ત પોલીસ કમિશનર ટ્રાફિકના સુપરવિઝન હેઠળ ભારત સરકારના નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના સહયોગથી VOC ચલણ એપ્લિકેશનનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે, જે ટ્રાફિક નિયમોના ભંગ અંગેની કાર્યવાહીને વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં મદદરુપ થશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નવી એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેનાથી મોબાઈલ દ્વારા ગુના નોંધવા અને ટ્રાફિકના અમલીકરણની ક્ષમતા વધારવા મદદ મળશે. &nbsp;</p> <p style="text-align: justify;"><strong>અમદાવાદમાં ઈ મેમોની શરુઆત</strong></p> <p style="text-align: justify;">આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વધતી જતી ટાફિકની સમસ્યા અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવતા ટ્રાફિક નિયમોના ભંગને રોકવા હાલ&nbsp;<br />રાજ્યમાં સૌપ્રથમ વખત મુવીંગ કેમેરા દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. જેની શરુઆત પણ કરી દેવામાં આવી છે. અમદાવાદના એસજી હાઈવે પર ટ્રાયલ બેઝ પર PCR વાનમાં ડેશકેમ લગાવવામાં આવ્યા છે. આ ડેશકેમ અંતર્ગત હાઈવે પર તે મૂવ કરતા હોય ત્યારે વીડિયો ઉપરાંત તસવીરો ખેંચી લેશે &nbsp;અને તે એઆઈ (Artificial Intelligence) ફિલ્ટર સાથે કનેક્ટ હોવાથી તેમાંથી કોઈ ટ્રાફિક વાયોલન્સ હશે તો તે નંબર ટ્રેક કરીને તાત્કાલિક મેમો આપશે.&nbsp;</p> <p style="text-align: justify;">વધુમાં આ પ્રકારના ડેશકેમ PCR વાન અને ઇન્ટરસેપ્ટર વાનમાં લગાવવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં 60 જેટલા વાહનમાં આ પ્રકારના કેમેરા લગાવવાની યોજના છે. જ્યારે આવનારા ભવિષ્યમાં તેનો ઉપયોગ પોલીસની કામગીરીમાં વધુમાં વધુ મદદરૂપ થાય તે માટે પણ કરવામાં આવશે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>અમદાવાદ પોલીસના જવાનોએ પણ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે</strong></p> <p style="text-align: justify;">તો બીજી તરફ અમદાવાદ પોલીસ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે પોતાના તાબા હેઠળ આવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવા પરિપત્ર જાહેર કર્યો છે. આ પરીપત્ર અનુસાર દરેક પોલીસ અધિકારી / કર્મચારી યુનિફોર્મમાં કે સિવિલ ડ્રેસમાં હોય પોતાના ફરજના સ્થળે તેમજ અન્ય સ્થળે અવર જવર કરવા માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે. પોલીસ કમિશનર ઓફીસમાં પણ કર્મચારીઓને હેલ્મેટ વગર પ્રવેશ અપાશે નહીં. અમદાવાદમાં પોલીસ કમિશ્નરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. હાઈકોર્ટની સૂચના બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરએ આ નિર્ણય લીધો છે. હાઈકોર્ટમાં પ્રવેશ માટે પણ હેલ્મેટ ફરજિયાત છે.</p> <p style="text-align: justify;"><strong>આ પણ વાંચો...</strong></p> <h4 class="abp-article-title"><a title="Gujarat Rain Forecast: રાજ્યના 22 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી" href="https://ift.tt/O6Kpg8v" target="_self">Gujarat Rain Forecast: રાજ્યના 22 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી</a></h4>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...