Skip to main content

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 


<p><strong>અમદાવાદ:&nbsp;</strong> ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની તબિયત બગડી છે. &nbsp;મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીની તબિયત લથડી હતી. નાશિક ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને હાર્ટ અટેક આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેમને નાસિકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. નાસિકની હોસ્પિટલમાં તેમની એન્જીયોપ્લાસ્ટ સર્જરી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">કોંગ્રેસ પક્ષની જવાબદારી વહન કરતા પૂર્વ વિપક્ષ નેતા શ્રી <a href="https://twitter.com/paresh_dhanani?ref_src=twsrc%5Etfw">@paresh_dhanani</a> જી ની નાશિક ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે શ્રીજી હોસ્પિટલ, મુંબઈ નાકા, નાસિક ખાતે ખસેડાયા.<br />તબિયત સ્થિર છે.<br /><br />તાત્કાલિક પુનઃ સ્વસ્થતાની પ્રાર્થના. <a href="https://t.co/l1Drk6OqZs">pic.twitter.com/l1Drk6OqZs</a></p> &mdash; Gujarat Congress (@INCGujarat) <a href="https://twitter.com/INCGujarat/status/1851294852304297996?ref_src=twsrc%5Etfw">October 29, 2024</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવાયું છે કે, 'પરેશ ધાનાણીની નાસિક ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે નાસિકની શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા. જ્યાં તેમની તબિયત સ્થિર છે.'</p> <p>કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીના જણાવ્યા અનુસાર, તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જોકે, હાલ પરેશ ધાનાણીની તબિયત એકદમ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. એક દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. AICC સચિવ અનંત પટેલ હોસ્પિટલ પર પહોંચ્યા હતા.&nbsp;</p> <p>ગત લોકસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ તરફથી રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર હતા. &nbsp;ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા સામે તેમની હાર થઈ હતી. &nbsp;આ ચૂંટણીમાં પરષોતમ રૂપાલાની જંગી બહુમતીથી જીત થઇ હતી.&nbsp;&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">કોંગ્રેસ પક્ષની જવાબદારી વહન કરતા શ્રી પરેશ ધાનાણી ની નાગપૂર ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે શ્રીજી હોસ્પિટલ, મુંબઈ નાકા, નાસિક હોસ્પિટલમાં ખસેડાયા.<br />એન્જીયોપ્લાસ્ટ કરવામાં આવેલ છે, તબિયત સ્થિર છે.<br />⁦<a href="https://twitter.com/paresh_dhanani?ref_src=twsrc%5Etfw">@paresh_dhanani</a> જી⁩ પુનઃ સ્વસ્થતાની પ્રાર્થના.<br />⁦<a href="https://twitter.com/hashtag/GetWellSoon?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#GetWellSoon</a> <a href="https://t.co/STfL058PcR">pic.twitter.com/STfL058PcR</a></p> &mdash; Jagdish Thakor (@jagdishthakormp) <a href="https://twitter.com/jagdishthakormp/status/1851306418772852911?ref_src=twsrc%5Etfw">October 29, 2024</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદિશ ઠાકોરે પણ એક્સ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી.&nbsp; તબિયત બગડતાં તાત્કાલિક સારવાર કરાઈ હતી. એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે, હાલ તબિયત સ્થિર છે.&nbsp; &nbsp;તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.&nbsp;&nbsp;</p> <p>પરેશ ધાનાણી વર્ષ 2000માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.કોમની ડિગ્રી મેળવ્યા પછી સમાજસેવાના હેતુ સાથે રાજકારણમાં જોડાયા હતા. પ્રથમ ચૂંટણી તેમણે અમરેલીથી લડી હતી.&nbsp; રાજકોટમાં કોલેજકાળથી એનએસયુઆઈ સાથે જોડાઈ ગયેલા પરેશ ધાનાણી વર્ષ 2001માં અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા.&nbsp; &nbsp;&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...