Skip to main content

રાશનની દુકાન હવે બનશે ન્યુટ્રીશીયન હબ:જીએનએલયુ ખાતે સસ્તા અનાજની દુકાનોને જન પોષણ કેંદ્રમાં રૂપાંતરીત કરવાના પાયલોટ પ્રોજેક્ટની તાલીમનો પ્રારંભ


https://ift.tt/tPpnBiy ભારત સરકાર મીનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યયરશીપ, ડીપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન અને ગુજરાત સરકારના અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના વિભાગના ઉપક્રમે ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનીવર્સીટી ખાતે તમામ સસ્તા અનાજની દુકાનોને (એફ.પી.એસ. કેંદ્રને) જન પોષણ કેંદ્રમાં રૂપાંતરીત કરવાનાં પાયલોટ પ્રોજેક્ટની તાલીમનો પ્રારંભ કરાયો છે. આ તાલીમમાં તમામ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને 14 નવેમ્બર સુધી દરમ્યાન તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ છે. સસ્તા અનાજની દુકાનોના સંચાલકો લાભાર્થીઓના સીધા જ સંપર્કમાં હોવાથી વહીવટી તેમજ વિતરણના પ્રશ્નોનું સરળ નિરાકરણ લાવવા, તેમજ દુકાનદારો તાલીમ અન્વયે સક્ષમ બને તે મહત્વકાંક્ષી હેતુ આ તાલીમનો છે. સાથે સાથે તેમની નાણાકીય સધ્ધરતા વધે તેવો નમ્ર પ્રયાસ છે. વધુમાં ગરીબ અને સામન્ય છેવાડાના માણસોને આરોગ્યપ્રદ અને સ્વાસ્થપ્રદ રાશન/જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેવી માનવતાવાદી ઉમદા અને સમાજકલ્યાણલક્ષી પ્રવૃત્તિ વિકાસ પામે અને લોકોમાં પોષણયુક્ત અન્ન વિશે જાગૃતિ ફેલાય તે પણ કાર્યક્રમનો મહત્તમ ઉદ્દેશ્ય છે. ભારતના પ્રધાનમંત્રીના પ્રથમ 100 દિવસનાં શાસનમાં જન પોષણ કેન્દ્રનું લક્ષાંક રાખવામાં આવેલ હતુ, તેને ચરિતાર્થ કરવા હાલ દેશમાં પ્રથમ ચાર રાજ્ય ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તેમજ તેલંગાણાની કુલ 60 દુકાનોને જન પોષણ કેંદ્રમાં પરિવર્તિત કરવામાં આવનાર છે.. સરકારના આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરના-14 અને અમદાવાદ જિલ્લાના -16 સાથે કુલ-30 દુકાન સંચાલકો આ પાયલોટ પ્રોજેક્ટમાં જોડાયેલ છે. જે ગુજરાત માટે ગૌરવની બાબત છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ તબક્કાવાર આવા જન પોષણ કેંદ્ર શરૂ કરવાનો લક્ષ્યાંક છે.રાશનની દુકાન ફક્ત રાશનની દુકાન ન રહેતાં ન્યુટ્રીશીયન હબ બને તેવો મહ્ત્વકાંક્ષી ઉદ્દેશ્ય છે. જેમાં અનાજ, કઠોળ, ખાધ્યતેલની સાથે ડેરી પ્રોડક્ટસ અને મસાલા પણ સામેલ કરવામાં આવનાર છે. આ પ્રસંગે ડીપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન, ભારત સરકારના ડાયરેક્ટર સુનિલ સચદેવા , અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોનો વિભાગ નિયામક તુષારભાઇ ધોળકીયા , GNLUના રજીસ્ટ્રાર જગદીશચંદ્ર NISBUDના સિનિ. કન્સલ્ટન્ટ ડો. યામીની જયસ્વાલ અને Gujarat Fair Price Shop Association (GFPSA) ના પ્રમુખ પ્રહ્લ્લાદભાઇ મોદીની ગરિમામય ઉપસ્થિતિ રહ્યા હતા.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...