Skip to main content

Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ


<p><strong>Khyati Hospital:</strong> અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક મોટી કરતૂતનો પર્દાફાસ થયો છે. હાલમાં જ કડીના બોરીસણા ગામે કેમ્પ યોજ્યો હતો, જે પછી બે લોકોના મોત થતાં હોબાળો થયો હતો. હવે આ બધાની વચ્ચે કડીના વધુ એક ગામમાં ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો હતો, જેમાં પણ દર્દીઓને ખોટી રીતે ચેકઅપ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. ખરેખરમાં, કડીના બલાસણ ગામે ગત 10 નવેમ્બરે ફ્રી ચેકએપ કેમ્પ યોજ્યો હતો, જેમાં 45 દર્દીઓએનું ચેકઅપ કરાયુ હતુ, આ દર્દીઓના કાર્ડિયોગ્રામ પણ કાઢવામાં આવ્યા હતા.&nbsp;</p> <p>અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. ગત 10 નવેમ્બરે કડીના બલાસણ ગામે અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલે ફ્રી મેડકલ કેમ્પ યોજ્યો હતો, જેમાં 45 લોકોનું ચેકઅપ કરાયુ હતુ. આ કેમ્પ દરમિયાન ખ્યાતિ હૉસ્પિટલે દર્દીઓને ખોટી રીતે કમર, મણકા-ઘૂંટણના દર્દીઓના કાર્ડિયોગ્રામ પણ કાઢવામાં આવ્યા હતા. સાથે સાથે ખ્યાતિના સ્ટાફે દર્દીઓ સાથે એવી પણ પુછપરછ કરી હતી કે, તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે કે નહીં.&nbsp;</p> <p>ફ્રી મેડિકલ ચેકઅપના નામે ખ્યાતિ હૉસ્પિટલે કડીના વધુ એક ગામમાં બલાસણ પણ કેમ્પ યોજીને કાળી કરતૂત કરી હોવાનો પર્દાફાશ થયો છે. ગક 10 નવેમ્બરે બલાસણમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે પેટના રોગ, કમર-મણકાંના રોગ, ઘુંટણ-સાંધાના રોગ, પથરી પ્રૉસ્ટેટના રોગની સારવાર માટે મફત નિદાન કરવામાં આવશે. આ મેડિકલ કેમ્પમાં 45 લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતુ. તે પૈકી મોટાભાગના દર્દીઓના કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યા હતા. કમર-મણકાંનો દુઃખાવો, ઘુંટણ-સાંધાનો દુઃખાવો હોય તો પણ દર્દીને અલાયદા રૂમમાં લઈ જઈને કાર્ડિયોગ્રામ કાઢવા ડૉક્ટરો સલાહ આપતા હતા. એક દર્દીનો દાવો છે કે આંખોની તપાસ માટે ગયો હતો, ત્યારે ડોક્ટરે કહ્યું કે આયુષ્યમાન કાર્ડ છે મે હા પાડતા એણે કહ્યું કે આ રૂમમાં જાઓને કાર્ડિયોગ્રામ કાઢવી લો, આ સાંભળીને અચંબામાં મુકાઈ ગયો હતો, એટલું જ નહીં ત્યાં સુધી કહ્યું કે અમદાવાદ આવી જાઓ બધી સારવાર મફત થઈ જશે. ટૂંકમાં કોઈપણ રોગના દર્દીને હ્રદય રોગ છે તેવો ડર દેખાડી ખ્યાતિ હૉસ્પિટલમાં દર્દીઓની બારોબાર સારવાર કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.</p> <p><strong>ખ્યાતિ હૉસ્પિટલ મોતકાંડ, જાણો શું છે સમગ્ર મામલો -&nbsp;</strong><br />અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની &nbsp;સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થતાં &nbsp;પરિવારજનો બેદરકારી અને છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યાં છે. &nbsp;સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા હતા. &nbsp;&nbsp;</p> <p>કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ &nbsp;હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે. &nbsp;સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની &nbsp;એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને &nbsp;7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં &nbsp;સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા. &nbsp;</p> <p><strong>આ પણ વાંચો....</strong></p> <p><strong><a title="2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક" href="https://ift.tt/EAQRwt3" target="_self">2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક</a></strong></p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...