Skip to main content

Gujarat: ઠેર-ઠેર રેડ કરનારી નકલી ઇડી ટીમનું AAP સાથે શું નીકળ્યુ કનેક્શન, ઇસુદાન ગઢવીએ આપી આવી પ્રતિક્રિયા


<p><strong>Fake ED Team:</strong> રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નકલી ઇડી ટીમને લઇને સમાચારો સામે આવી રહ્યાં છે. &nbsp;ગઇકાલે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ બાદ પોલીસે કાર્યવાહી વધુ તેજ કરી દીધી છે, હવે આ પકડાયેલા નકલી ઇડી અધિકારી અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું સામે આવ્યુ છે. આ જે આ નકલી ઇડી ટીમને લઇને મોટો ખુલાસો પણ થયો છે. આજના ખુલાસામાં સામે આવ્યુ છે કે, અબ્દુલ સત્તાર આપને ફન્ડિંગ કરતો હતો.&nbsp;</p> <p>અબ્દુલ સત્તારની નકલી ઇડી ટીમે સોની વેપારીને દબાવીને તેના પાસેથી નાણાં અને દાગીના પડાવી લીધા હતા. નકલી ઈડીના અધિકારીઓ દ્વારા અહીં ખોટી રેડ પાડી હતી. અમદાવાદ, ભુજ અને ગાંધીધામના 13 લોકોની નકલી ઈડી ટીમમાં સામેલ અમદાવાદની એકમાત્ર મહિલાએ સોનાના દાગીના ચોરી કરી લીધા હતાં. સોની વેપારીને તેની જાણ થઈ જતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.</p> <p><strong>ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ -&nbsp;</strong><br />પકડાયેલી નકલી ઈડી ટીમમાં આમ આદમી પાર્ટીના એક નેતાઓ સમાવેશ થાય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષના ટ્વીટ મુજબ આ નકલી ઈડી ટીમનો કેપ્ટન અબ્દુલ સત્તાર ઈશાક માંજોઠી હતો. તેમને x પ્લેટફોર્મ પર લખ્યું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા! કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવો!</p> <p><strong>આપ નેતા ઇશુદાન ગઢવીએ શું કહ્યું -</strong>&nbsp;<br />આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હવે જંગ છેડાઈ ગઈ તો લાંબી ચાલશે. ભાજપના સાંસદ સાથે પણ નકલી EDવાળાના ફોટા છે. ભાજપના સાંસદ સાથે નકલી EDવાળાનો શું સંબંધ છે? હર્ષભાઈ ટ્વિટ કરી ભાગી જાય છે. ટ્વિટ કરીને ભાગી જાઓ એવું ન ચાલે. સમગ્ર બાબતે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. ટ્વિટ કરીને ભાગી જવું ગૃહમંત્રીને ના શોભે.&nbsp;</p> <p>ટ્વિટર પર પોસ્ટમાં ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, હું હર્ષભાઈ ને કહેવા માગું છું કે તમે ગુજરાતના ગૃહમંત્રી છો તમે ટ્વિટ કરીને ભાગી જાઓ એવું ન ચાલે. તમે જે વ્યક્તિની વાત કરો છો એ વ્યક્તિ તમારા જ સાંસદ સાથે નજીકના સંબંધો ધરાવે છે તમામ અધિકારીઓ સાથે પણ તેના સંબંધો છે એ બાબતે તમે શું કહેશો? તમારે આ સમગ્ર બાબતે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. આવો અને જાહેરમાં ચર્ચા કરો ટ્વિટ કરીને ભાગી જવું ગુજરાતના ગૃહમંત્રીને ના શોભે.</p> <p><strong>ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું -</strong><br />આ સમગ્ર મામલે આપના નેતા ગોપાલ ઈટાલિયાએ પણ સળગતા મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની ટોળકીની ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે. જે વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં નથી પરંતુ જેલમાં છે તેણે કઈ રીતે આજે કે ગઈકાલે કોઈ કબુલાત કરી? દસ દિવસ પહેલા પકડાયેલ નકલી EDના માણસ વિશે આજે ગૃહ મંત્રીને જાણકારી મળે છે કે તે વ્યક્તિએ એસપી, ભાજપ અને આપને પૈસા આપ્યા છે. ગૃહમંત્રી ભાગે નહીં, મારી સાથે ખુલ્લી ડિબેટ કરે.</p> <p>પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીના અધિકારી બનેલા 13 પૈકીના 12 લોકોને ઝડપી 22 લાખના દાગીના અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત 45 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. 15 દિવસ પહેલા ચાની હોટલ પર ઈડીના અધિકારી બની ખોટી રેડ પાડવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આયોજન મુજબ ન થતાં અને અમદાવાદથી આવેલા સાગરિતો દ્વારા દગો કરવામાં આવતા પ્લાન ફેલ થયો હતો.</p> <p><strong>નકલી ED અધિકારી&nbsp;</strong><br />ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા<br />દેવાયત વીસુભાઈ&nbsp;<br />અબ્દુલસતાર ઈશાક માંજોઠી&nbsp;<br />હિતેષ ચત્રભુજ&nbsp;<br />વિનોદ ૨મેશ&nbsp;<br />ઈયુઝીન અગસ્ટીન ડેવીડ&nbsp;<br />આશિષ રાજેશભાઈ, અમદાવાદ<br />ચન્દ્રરાજ મોહનભાઈ , ચાંદખેડા, અમદાવાદ<br />અજય જગન્નાથ દુબે, સાબરમતી અમદાવાદ<br />અમિત કિશોરભાઈ મહેતા, ચાંદખેડા,અમદાવાદ<br />નિશા અમિત મહેતા ચાંદખેડા,અમદાવાદ<br />શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ, અમદાવાદ&nbsp;<br />ફરાર આરોપીનું નામ : વિપીન શર્મા, અમદાવાદ</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...