Skip to main content

Unjha APMC Result: દિનેશ પટેલ જૂથનો દબદબો યથાવત, 140 વૉટ સાથે મેળવી ભવ્ય જીત, ભાજપ MLA કિરીટ પટેલ જૂથના સૂપડા સાફ


<p><strong>Unjha APMC Election:</strong> ઊંઝા એપીએમસીની હાઈ વૉલ્ટેજ ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે આજે પરિણામ જાહેર થયા છે, જેમાં ફરી એકવાર દિનેશ પટેલ જૂથનો દબદબો યથાવત રહ્યો છે. દિનેશ પટેલ જૂથે 175માંથી 140 મત મેળવીને ભવ્ય જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત વિભાગમાં નોંધાયેલા 261માંથી 258 અને વેપારી વિભાગના 805 મતદારોમાંથી 782 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થતાં કુલ 36 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા હતા. કુલ 14 બેઠકો માટે સરેરાશ 98 ટકા મતદાન થયું હતું.&nbsp;</p> <p>આજે મતગણતરી બાદ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. મતદાન અને મતગણતરી બાદ ઊંઝા એપીએમસીમાં દિનેશભાઈ જૂથનો ભવ્ય વિજય થયો છે. ખેડૂત પેનલમાં 175માંથી 140 વૉટ મેળવી સમગ્ર પેનલ વિજયી બની છે. ઊંઝા એમપીએમસીમાં ફરી એકવાર દિનેશ પટેલનો દબદબો જોવા મળ્યો છે. દિનેશ પટેલ જૂના વિજયની સાથે સાથે ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય કિરીટ પટેલ જૂથના સૂપડા સાફ થઇ ગયા હતા.&nbsp;</p> <p>ઊંઝા એપીએમસી સંકૂલમાં ઊભા કરાયેલા મતદાન કેન્દ્ર ઉપર સોમવારે પોલીસ બંદોબસ્ત હેઠળ સવારે મતદાન શરૂ થતાં ખેડૂત વિભાગના 1 અને અને વેપારી વિભાગમાં બનાવાયેલા 2 મતદાન બૂથો ઉપર મતદાન કરવા લાંબી લાઈનો લાગી હતી. જેમાં ખેડૂત વિભાગમા કુલ મતદાન 261 પૈકી 258 અને વેપારી વિભાગમાં 805 મતદાન પૈકી 782 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.</p> <p>મતદાન પ્રક્રિયા શાતીપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં બન્ને વિભાગના 36 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થઈ ગયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન ત્રણ બૂથમાં 15 અને 5 રિઝર્વ મળી કુલ 20 અધિકારીઓએ ફરજ બજાવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે 3 પીઆઈ સહિત 7 પીએસઆઇ અને 71 પોલીસકર્મીઓ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતપેટીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ટ્રેઝરી ઓફીસ ખાતે લઈ જવામાં આવી હતી.</p> <p>ઉઝા એપીએમસીની ચુટણીમાં પુરુષ મતદારો સાથે સાથે મહિલા મતદારોએ પણ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જેમાં ખેડૂત વિભાગમાં 32 મહિલા મતદારો અને વેપારી વિભાગમાં 29 મળી કુલ 61 જેટલા મહિલા મતદારોએ મતદાન કરીને પોતાની પસંદગીના ઉમેદવારની જીત નિશ્ચિત કરવાની મ્હોર મારી હતી.&nbsp;</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><strong><a title="ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો" href="https://ift.tt/3JRUr8w" target="_self">ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો</a></strong></p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...