Skip to main content

રાજ્યમાં માર્ગ અકસ્માતોની હારમાળા: શિક્ષક સહિત બેના મોત, અનેક ઈજાગ્રસ્ત


<p><strong>Gujarat road accidents:</strong> ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આજે માર્ગ અકસ્માતોની ત્રણ દુ:ખદ ઘટનાઓ બની છે, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.</p> <p><strong>મહીસાગર</strong></p> <p>મહીસાગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા શાળાએ જઈ રહેલા એક શિક્ષકનું અકસ્માતમાં કરૂણ મોત થયું છે. બાબલીયા બોરવાઈ રોડ પર બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નવા વાઠેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેઓ ઘરેથી શાળા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. આ ઘટનાથી સમગ્ર શિક્ષણ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.</p> <p><strong>સુરત ગ્રામ્ય</strong></p> <p>સુરત ગ્રામ્યના ઓલપાડમાં એસટી બસ અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીણોદ અને મીરજાપોર ગામ વચ્ચે થયેલા આ અકસ્માતમાં મોપેડ ચાલક સુરેશભાઈ પટેલનું સારવાર માટે લઈ જતા રસ્તામાં મોત થયું હતું. તેઓ ઓલપાડના મોરગામના વતની હતા. ઓલપાડ પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.</p> <p><strong>રાજકોટ</strong></p> <p>રાજકોટના જેતપુર સોમનાથ હાઇવે પર વંથલી નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રિક્ષા અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક જ પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વંથલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ ત્રણેય ઘટનાઓએ માર્ગ સલામતીના મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે તે આ ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે.&nbsp;</p> <p>વર્ષ ૨૦૨૪ પૂર્ણ થવાને આરે છે, ત્યારે ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આ વર્ષે ૧.૬૨ લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં ઈજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ આંકડો માર્ગ સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે.</p> <p>EMRI (ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ઇમરજન્સી રિસ્પોન્સની માહિતી અનુસાર, અમદાવાદ ગુજરાતના જિલ્લાઓની યાદીમાં ટોચ પર છે, જ્યાં માર્ગ અકસ્માતમાં ઈજાઓ માટે સૌથી વધુ લોકોને સારવારની જરૂર પડી છે. આ માહિતી અમદાવાદમાં માર્ગ સલામતીની સ્થિતિ પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત સૂચવે છે.</p> <p><strong>આ પણ વાંચો...</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/india/delhi-election-2025-anna-hazare-urges-voting-for-candidates-who-sacrifice-for-nation-926840">દિલ્હી ચૂંટણી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અન્ના હજારેનું મોટું નિવેદન, 'જે દેશ માટે સારું છે...'</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...