Skip to main content

Gujarat: ગુજરાતના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને થઇ 5 વર્ષની જેલની સજા, કચ્છ જમીન કૌભાંડમાં થયા હતા સસ્પેન્ડ


<p><strong>Gujarat Crime News:</strong> ગુજરાતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ IAS પ્રદીપ શર્માને કોર્ટે પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. ગુજરાતના સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા કેસ મામલે ચાલી રહેલા ભ્રષ્ટાચાર કેસમાં વિશેષ અદાલતે આજે મહત્વનો ચૂકાદો આપ્યો હતો, જમીન સંબંધિત કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. હવે જેલની સજા થઇ છે. પૂર્વ કચ્છ કલેકટર પ્રદીપ શર્મા વર્ષ 2003 થી 2006 દરમિયાન કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. પોતાની ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ શો પાઇપ્સ કંપનીને ગેરકાયદેસર રીતે નીચા ભાવે જમીન ફાળવણી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી.&nbsp;</p> <p>પ્રદીપ શર્મા સરકારી અધિકારી તરીકે સત્તાના દુરુપયોગ મામલે દોષિત જાહેર થયા છે પરંતુ અન્ય બે કેસમાં પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ ચાલી રહ્યા હતા. જેમાં બે કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને એક કેસમાં આજે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. એન્ટી કરપ્શન બ્યૂરોમાં નોંધાયેલા કેસમાં પ્રદીપ શર્માને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે આ મામલામાં અધિકારીને 5 વર્ષની સજા ફટકારી છે. સાથે જ કુલ રૂપિયા 75 હજારનો દંડ કર્યો છે. જેમાં ACB ની કલમ 13 (2) મુજબ 5 સજા અને રૂ. 50 હાજરનો દંડ ઉપરાંત, ACB ની કલમ 11 હેઠળ 3 વર્ષની સજા અને રૂ. 25 હજારનો દંડ સ્પેશ્યલ કોર્ટે કહ્યું કે, જો આરોપી દંડ નહીં ભરે તો અનુક્રમે વધુ ત્રણ અને એક મહિનાની સજા થશે.</p> <p>ઉલ્લેખનીય છે કે, કચ્છના પૂર્વ કલેકટર અને સસ્પેન્ડેડ આઈએએસ પ્રદીપ શર્મા સામે ભુજ સીઆઇડી ક્રાઈમ બોર્ડર ઝોન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભુજ શહેરના મામલતદાર કલ્પનાબેન ગોદિયાએ પૂર્વ કલેકટર તાત્કાલિક નિવાસી નાયબ કલેકટર અને ભુજ સંજય છોટાલાલ શાહ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આજરોજ જમીન કૌભાંડમાં કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે. આ મામલે કોર્ટમાં સુનાવણી દરમિયાન પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને એક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ તેમના વકીલે કોર્ટમાં સજા ઓછી કરવાની રજૂઆત કરી હતી. તો બીજી તરફ સરકારી વકીલે તેનો વિરોધ કર્યો હતો. આ મામલે સરકારી વકીલે કહ્યું હતું કે, આઈએએસ અધિકારી તરીકે ગુનો કર્યો છે. તે કોર્ટે માન્યો છે. તેમણે કહ્યું કે, આવા અધિકારીને ઓછી સજા થશે તો સમાજમાં ખોટા મેસેજ જશે. ત્યાર પછી સરકારી વકીલે કોર્ટમાં વધુ સજાની માંગ કરી હતી. સરકારી વકીલે વધુ કહ્યું હતું કે, કલેક્ટરની પોસ્ટ ધરાવતા અધિકારીને કડક સજા થવી જોઈએ અને ઉંમરના આધારે સજા ઓછી થાય તે માગ યોગ્ય નથી. તેમણે વધુ કહ્યું હતું કે, અપરાધીને સજા સાથે લેવા દેવા હોય છે, ઉંમર સાથે નહીં, આ મામલો કોઈ વ્યક્તિગત નથી પરંતુ દેશ વિરુદ્ધનું કૃત્ય છે.</p> <p>ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છ કલેકટર પ્રદીપ શર્મા વર્ષ 2003 થી 2006 દરમિયાન કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. પોતાની ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ શો પાઇપ્સ કંપનીને ગેરકાયદેસર રીતે નીચા ભાવે જમીન ફાળવણી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારબાદ બંને કેસમાં CID ક્રાઇમે પ્રદીપ શર્માની ધરપકડ કરી અને તેમને પાલારા જેલમાં મોકલ્યા હતા.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><strong><a title="Gujarat Weather: જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં અહીં માવઠાની શક્યતા, ઠંડીને લઇને પણ થઇ મોટી આગાહી" href="https://ift.tt/EYBkAZ7" target="_self">Gujarat Weather: જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં અહીં માવઠાની શક્યતા, ઠંડીને લઇને પણ થઇ મોટી આગાહી</a></strong></p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...