Skip to main content

Republic Day 2025: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇડરમાં કર્યુ ધ્વજવંદન, સાબરકાંઠાના ઇડરમાં યોજાયો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ


<p><strong>Republic Day 2025:</strong> આજે દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આજે સાબરકાંઠામાં શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. સાબરકાંઠાના ઇડરની આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે સવારે 9:00 કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ, આ જિલ્લા કક્ષાની ઉજવણી હજારોની સંખ્યામાં દેશભક્તો ઉમટી પડ્યા હતા. 76મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરવા માટે જિલ્લા કલેક્ટર રતન કવર ગઢવી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી.</p> <p>આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સાબરકાંઠા જિલ્લામાં ધ્વજવંદન કર્યુ હતુ. શંકર ચૌધરીના હસ્તે સાબરકાંઠાના ઈડર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. સાબરકાંઠાની જિલ્લા કક્ષાની 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઇડર ખાતે આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજમાં કરવામાં આવી હતી, આ પ્રસંગે દબદબાભેર તૈયારીઓ કરવામાં આવી હતી, 76માં પ્રજાસત્તાક દિવસે પોતાના સંબોધનમાં બોલતા જણાવ્યું કે, આજે ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગાંધી અને સરદારના સ્વપ્ન સાકાર ત્યારે ગૌરવ થાય છે. શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાય ત્યારે પણ ગૌરવ અનુભવાય છે. શંકર ચૌધરીએ વધુમાં કહ્યું કે, આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે, આઝાદીની ચળવળમાં સાબરકાંઠાનું મહત્વનું યોગદાન રહેલું છે, ઈડરનો ઈતિહાસ વૈભવશાળી રહ્યો છે.&nbsp;</p> <p>તિરંગાને સલામી આપવા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા સાબરકાંઠા એસપી વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટર સહિત કર્મચારીઓ અધિકારીઓ શિક્ષક ગણ સહિત હાજર રહ્યાં હતા.</p> <p>ખાસ વાત છે કે, પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજવામાં આવ્યો હતો.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><strong><a title="Republic Day 2025: ગાંધીનગરમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કર્યુ ધ્વજવંદન, સંબોધનમાં કહી આ મોટી વાતો..." href="https://ift.tt/XtvO5Ec" target="_self">Republic Day 2025: ગાંધીનગરમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કર્યુ ધ્વજવંદન, સંબોધનમાં કહી આ મોટી વાતો...</a></strong></p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...