Skip to main content

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપને મળ્યું મુસ્લિમ સમાજનું સમર્થન! 21 બેઠકો પર ભાજપના મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ વિજયી


<p><strong>BJP Muslim support in Gujarat:</strong> ગુજરાતમાં 68 નગરપાલિકાઓ, જૂનાગઢ મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયતોની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. કુલ 4390 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં ભાજપે 162 બેઠકો બિનહરીફ જીતી લીધી છે, જેમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ બેઠકો પૈકી 21 બેઠકો પર ભાજપના મુસ્લિમ ઉમેદવારોનો વિજય થયો છે.</p> <p>પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેંક ગણાતા મુસ્લિમ સમાજમાં આ વખતે ભાજપ તરફી મોટું પરિવર્તન જોવા મળ્યું છે. બિનહરીફ જાહેર થયેલા ભાજપના મુસ્લિમ ઉમેદવારોને તેમના વિસ્તારના મુસ્લિમ સહિત તમામ સમાજના લોકોનું સમર્થન મળ્યું છે. બીજી તરફ, બાલાસિનોરમાં કોંગ્રેસના બે મુસ્લિમ ઉમેદવારો પણ બિનહરીફ જાહેર થયા છે.</p> <p>દરમિયાન, કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે ભાજપમાંથી ચૂંટણી લડતા મુસ્લિમ ઉમેદવારો અંગે વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું હતું કે, "જે મુસ્લિમ ભાજપમાંથી ઉમેદવારી કરે તેમનું જમીર મરી ગયું હોય." આ નિવેદન બદલ ભાજપે કોંગ્રેસની માનસિકતા સામે સવાલો ઉઠાવ્યા છે.</p> <p>આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાનાર છે, જેમાં મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને કેટલું સમર્થન મળે છે તે જોવું રસપ્રદ રહેશે.</p> <p>રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યા મુજબ, 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકા માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.</p> <p>આ ચૂંટણીમાં કુલ 19 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારો ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય 12 વૈકલ્પિક દસ્તાવેજો દ્વારા પણ મતદાન કરી શકશે. ચૂંટણી પ્રક્રિયામાં કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા, જેમાંથી 5775 માન્ય રહ્યા અને 478 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. 213 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે અને 5084 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.</p> <p>જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે બાકીની બેઠકો માટે 157 ઉમેદવારો વચ્ચે હરીફાઈ થશે. 66 નગરપાલિકાઓના 461 વોર્ડમાંથી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ છે અને 1677 બેઠકો માટે 4374 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.</p> <p>આ ઉપરાંત સુરત, અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકાની એક-એક ખાલી બેઠક માટે પણ ચૂંટણી યોજાશે, જેમાં 17 ઉમેદવારો વચ્ચે હરીફાઈ થશે. ચૂંટણીના પરિણામો 18 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. હવે જાહેર પ્રચાર બંધ થઈ ગયો છે, પરંતુ ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે.</p> <p><strong>આ પણ વાંચો....</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/india/delhi-bjp-government-may-not-have-deputy-cm-what-this-means-for-the-city-s-politics-929213">દિલ્હીની રાજનીતિનું સસ્પેન્સ ખતમ: દિલ્હીમાં ભાજપ ડેપ્યુટી સીએમ બનાવશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...