Skip to main content

ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં


<p><strong>Gujarat education system controversy:</strong> ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાઓનો સિલસિલો યથાવત છે.&nbsp; એક તરફ સમાજ શિક્ષકોને આદર્શ માને છે, ત્યારે બીજી તરફ શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવતા શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે. ફેબ્રુઆરી મહિનામાં અમરેલીથી શરૂ થયેલો શિક્ષકોના કાળા કરતુતોનો સિલસિલો બોટાદ સુધી પહોંચ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તેવો ભયજનક સંદેશો સમાજમાં ફેલાયો છે.</p> <p><strong>સાવરકુંડલા: શિક્ષક વિશાલ સાવલિયા પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ</strong></p> <p>અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 11 ફેબ્રુઆરીના રોજ શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના બની હતી. અહીં વિશાલ સાવલિયા નામના શિક્ષક પર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શિક્ષક વિશાલ સાવલિયાની ધરપકડ કરી છે. આ ઘટનાએ સાવરકુંડલા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.</p> <p><strong>દાહોદ: શાળાના આચાર્ય ગોવિંદ નટ બાળકીનો હત્યારો</strong></p> <p>સપ્ટેમ્બર 2024 માં દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી શાળા છૂટ્યા બાદ ઘરે પરત ફરી ન હતી. પરિવારે શોધખોળ કરતા બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો.&nbsp; પોલીસે આ મામલે તપાસ શરૂ કરતા ખુલાસો થયો કે, બાળકીની હત્યા ખુદ શાળાના આચાર્ય ગોવિંદ નટે જ કરી હતી. નરાધમ આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કર્યા બાદ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર દાહોદ જિલ્લામાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસ દ્વારા આચાર્ય ગોવિંદ નટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.</p> <p><strong>બોટાદ: ઢસામાં શિક્ષક આનંદકુમાર જાનીના અડપલાં</strong></p> <p>વર્ષ 2024માં 21 સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લાના ઢસામાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાં કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. ઢસા પ્રાથમિક શાળાના શિક્ષક આનંદકુમાર જાનીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે વિદ્યાર્થીની સાથે દુષ્કૃત્ય કરતા કેદ થયો હતો. આ વીડિયો વાયરલ થતા જ લોકોએ શિક્ષક પર ફિટકાર વરસાવ્યો હતો. વિદ્યાર્થિનીના વાલીએ આ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસ દ્વારા આરોપી શિક્ષક આનંદકુમાર જાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p> <p><strong>વારંવાર બનતી ઘટનાઓ ચિંતાજનક</strong></p> <p>એક પછી એક સામે આવી રહેલા શિક્ષકોના આવા કાળા કરતુતો શિક્ષણ જગત માટે ખતરાની ઘંટી સમાન છે.&nbsp; વારંવાર બનતી આવી ઘટનાઓથી વાલીઓમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને શાળાઓમાં બાળકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. સરકાર અને શિક્ષણ વિભાગે આ મામલે ગંભીરતાથી ધ્યાન આપવાની અને શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી શિક્ષણ જગતની પવિત્રતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ શાળામાં સુરક્ષિત અનુભવી શકે.</p> <p><strong>આ પણ વાંચો....</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/pocso-case-verdicts-gujarat-7-rapists-life-imprisonment-930869">ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...