Skip to main content

શહેરી ગુજરાત ચમકશે! વિકાસ માટે સરકારે ખોલી તિજોરી, એક જ દિવસમાં ₹૫૩૭ કરોડના જનસુખાકારી કામો મંજૂર


<p><strong>Gujarat government funding:</strong> રાજ્યના નગરો અને મહાનગરોમાં નાગરિકોના જીવનધોરણને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે. શહેરી જનસુખાકારીના વિવિધ વિકાસ કામો માટે એક જ દિવસમાં એક સાથે કુલ ૫૩૭.૨૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ નાણાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે, જે રાજ્ય સરકારની પારદર્શી અને ઝડપી નિર્ણય પ્રક્રિયાનું ઉત્તમ ઉદાહરણ છે.</p> <p>મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજૂર કરાયેલા આ ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, આંતર માળખાકીય સુવિધાઓ, માર્ગ મરામત, પાણી પુરવઠા પાઇપલાઇન, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને શહેરી બસ પરિવહન યોજના જેવા મહત્વપૂર્ણ કામો માટે કરવામાં આવશે. આ વિકાસ કાર્યોથી શહેરીજનોના જીવનમાં નોંધપાત્ર સુધારો થશે અને શહેરોની માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે.</p> <p>આ નાણાં ફાળવણીમાં મુખ્ય શહેરો અને નગરપાલિકાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે:</p> <p>અમદાવાદ મહાનગરપાલિકા: અમદાવાદ શહેરને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ નવી ૨૬૭ ઇલેક્ટ્રિક બસ અને ૭ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખરીદવા માટે રૂ. ૫૮.૪૭ કરોડનું અનુદાન મળશે. આ ઉપરાંત, અમદાવાદ સહિત ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જનસુખાકારીના કામો માટે કુલ રૂ. ૩૦૯.૭૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં, ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના ૧૦ કામો માટે રૂ. ૩.૯૮ કરોડ અને ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, પાણી પુરવઠો, રોડ અને સ્ટ્રીટ લાઈટના આંતરમાળખાકીય સુવિધાના કામો માટે રૂ. ૩૫ કરોડ મળશે. રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટ-જેતપુર માર્ગને ફોર લેનથી સિક્સ લેનમાં રૂપાંતરિત કરવાની કામગીરી માટે પાણી પુરવઠા પાઇપલાઇન ખસેડવાના કામો માટે રૂ. ૨૧૨.૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.</p> <p>પોરબંદર મહાનગરપાલિકા: નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને શહેરને સુંદર બનાવવા અને સફાઈ કામગીરી સુધારવા માટે રૂ. ૧૩.૩૫ કરોડ અને વહીવટી ક્ષમતા વધારવાના કામો માટે રૂ. ૧૧.૬૯ કરોડ, એમ કુલ મળીને ૨૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.</p> <p>દ્વારકા નગરપાલિકા: દ્વારકા નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ. ૧૩૧.૭૬ કરોડ ફાળવવામાં આવશે. આ ભંડોળનો ઉપયોગ દ્વારકા શહેરથી નેશનલ હાઈવે સુધી નવો ફોર લેન રોડ બનાવવા માટે થશે, જેમાં વરસાદી પાણીના નિકાલ, ફૂટપાથ અને સાયકલ ટ્રેક જેવી સુવિધાઓ પણ હશે. વધુમાં, દ્વારકામાં રુક્ષ્મણી માતા મંદિર પાસેથી બાયપાસ રિંગરોડ પણ બનાવવામાં આવશે. આ વિકાસકાર્યોથી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રિકો, બેટ દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર જેવા પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે.</p> <p>અન્ય નગરપાલિકાઓ: વિસનગર, પાલનપુર, ટંકારા, કેશોદ, સિદ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને પણ વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. ૭૦.૪૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં વિસનગરને સી.સી. રોડ અને પેવર બ્લોક માટે રૂ. ૧.૫૨ કરોડ, પાલનપુરને ગટર લાઈનના કામો અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે રૂ. ૫૫.૮૬ કરોડ, સિદ્ધપુરને વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે પમ્પિંગ મશીનરી માટે રૂ. ૩.૫૬ કરોડ, ટંકારાને સી.સી. રોડ બનાવવા માટે રૂ. ૧.૯૧ કરોડ અને કેશોદને રૂ. ૫.૯૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. માંડવી નગરપાલિકાને ચોમાસામાં નુકસાન પામેલા રસ્તાઓના રિસરફેસિંગ માટે રૂ. ૧.૭૦ કરોડની વધારાની ગ્રાન્ટ આપવામાં આવી છે.</p> <p><strong>આ પણ વાંચો....</strong></p> <p><strong><a href="https://ift.tt/b39fSO5 નું રાજ ખતમ થતાં જ એલજી એક્શનમાં, યમુના સફાઈ અભિયાન શરૂ, 3 વર્ષમાં નદીને...</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...