Skip to main content

એક જ દિવસે બે ડાયરા કરવા મુદ્દે દેવાયત ખવડે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું


<p><strong>Devayat Khawad controversy:</strong> લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ તાજેતરમાં તેમની ગાડી પર થયેલા હુમલાના સમાચારો અને તે અંગેની અટકળોને લઈને ચર્ચામાં છે. શુક્રવારે બનેલી આ ઘટના બાદ, એવી વાતો વહેતી થઈ હતી કે દેવાયત ખવડે ડાયરાના કાર્યક્રમના પૈસા લીધા હોવા છતાં હાજર રહ્યા નહોતા, જેના કારણે આ હુમલો થયો. જો કે, દેવાયત ખવડે હવે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા રજૂ કરી છે અને પોતાનો પક્ષ મૂક્યો છે.</p> <p>દેવાયત ખવડે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, "હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે દેવાયત ખવડે બે ડાયરાના કાર્યક્રમો સ્વીકાર્યા હતા, પરંતુ એકમાં હાજરી આપી અને બીજામાં ગેરહાજર રહ્યા. આ વાત તદ્દન ખોટી છે. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે મેં સનાથલના ડાયરામાં હાજરી આપી હતી. આયોજકો ત્યાંના CCTV ફૂટેજ ચકાસી શકે છે. મેં સાંજે 8 થી 9:30 વાગ્યા સુધી સનાથલમાં કાર્યક્રમ આપ્યો હતો અને ત્યારબાદ આયોજકોની મંજૂરી લઈને જ હું પીપળજમાં અન્ય કાર્યક્રમ માટે રવાના થયો હતો."</p> <p>તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, "મેં કોઈ ખોટું કામ નથી કર્યું અને કાર્યક્રમના આયોજકો પાસેથી કોઈ પૈસા લીધા નથી. હકીકતમાં, મેં બે મહિના પહેલાં પણ તેમના ભત્રીજાના લગ્નમાં કોઈપણ ફી લીધા વગર ફક્ત સંબંધના કારણે ડાયરો કર્યો હતો. મને આ ક્ષેત્રની સારી જાણકારી છે અને હું જાણું છું કે કાર્યક્રમ લીધા પછી ક્યાં જવું અને ક્યાં ન જવું. હું ફરીથી સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં કોઈપણ પૈસા લીધા વિના, ફક્ત મિત્રતાના નાતે જ સનાથલના ડાયરામાં હાજરી આપી હતી. જો કોઈને મારી હાજરી અંગે શંકા હોય, તો તેઓ ફાર્મ હાઉસના CCTV ફૂટેજ ચકાસી શકે છે, જેમાં મારી હાજરી સાંજે 8 થી 9:30 વાગ્યા સુધી સ્પષ્ટપણે જોઈ શકાય છે. મેં આયોજકની પરવાનગી લીધા પછી જ પીપળજ જવા માટે નીકળ્યો હતો."</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">મોરે મોરા વિશે દેવાયત ખવડ નો ખુલાસો ✌️🙏 <a href="https://twitter.com/hashtag/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#મોરેમોરા</a> <a href="https://t.co/UvfYZP72qX">pic.twitter.com/UvfYZP72qX</a></p> &mdash; sanjay Chaudhary (@sanju4667855) <a href="https://twitter.com/sanju4667855/status/1893135195076730959?ref_src=twsrc%5Etfw">February 22, 2025</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડે તેમની ગાડી પર થયેલા હુમલા વિશે કોઈ સીધી ટિપ્પણી કરી નથી. પરંતુ, આ સ્પષ્ટતા તેમના પર લાગેલા આક્ષેપો અને ડાયરાના પૈસા અંગેની અફવાઓનો જવાબ આપે છે.</p> <p>ઘટનાક્રમ મુજબ, શુક્રવારે દેવાયત ખવડની કાર ગાયબ થઈ હોવાના સમાચાર આવ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમણે અમદાવાદ ગ્રામ્યમાં બે કાર્યક્રમોમાં હાજરી આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ સનાથલના કાર્યક્રમમાં પૈસા લીધા હોવા છતાં ગેરહાજર રહેવાના કારણે આયોજકો નારાજ થયા હતા અને બીજા દિવસે કાર લેવા જતાં હુમલો થયો હતો.</p> <p>આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં સનાથલ ગામના બે અને સાણંદના એક વ્યક્તિને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ અને ફરિયાદ નોંધાયા બાદ જ આ મામલે વધુ વિગતો સામે આવી શકે છે.</p> <p><strong>આ પણ વાંચો....</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/devayat-khawad-controversy-clash-near-sanand-after-lok-dayra-absence-vehicle-vandalized-driver-assaulted-930227">વિવાદિત કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં: એક જ દિવસમાં બે ડાયરા રાખતા સાણંદ નજીક મોડી રાત્રે બબાલ</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...