Skip to main content

ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા: અમદાવાદથી સુરત સુધી સર્જાયા ગમખ્વાર અકસ્માતો, અનેક લોકોના જીવ ગયા


<p><strong>Gujarat Accident:</strong> ગુજરાતમાં આજે માર્ગ અકસ્માતોની એક દુ:ખદ શ્રેણી સર્જાઈ છે, જેમાં રાજ્યના વિવિધ ભાગોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. અમદાવાદથી લઈને સુરત અને જામનગર સુધીના વિસ્તારોમાં ગમખ્વાર અકસ્માતો નોંધાયા છે.</p> <p>અમદાવાદ: અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મીઠાખળી પાસે એક સ્કોડા કારે ચારથી પાંચ વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જનાર નિલેશ પટેલ નામના યુવકની મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી છે અને યુવક નશાની હાલતમાં હોવાની આશંકા સેવાઈ રહી છે.</p> <p>જામનગર: જામજોધપુરમાં ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા એક અકસ્માતમાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો છે. જો કે, અકસ્માતમાં બાઈક ચાલકને પગમાં ઈજા પહોંચી છે અને બાઈકને ભારે નુકસાન થયું છે. સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રક સાથે અથડાયા પહેલા બાઈક સ્લીપ થઈ ગયું હતું, જેના કારણે બાઈક ચાલકનો બચાવ થયો હતો.</p> <p>ડાંગ: સાપુતારા-માલેગામ ઘાટમાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીક એક આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ જતા અકસ્માત થયો હતો. GJ06 AZ 5759 નંબરનો ટેમ્પો હૈદરાબાદથી કેબલ વાયરો ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લીનરને નજીવી ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને સામગાહાન સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે.</p> <p>સુરત ગ્રામ્ય: સુરતના ઉમરપાડા નજીક ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. ઉમરજર ગામ પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે સામસામી ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતક યુવકો સાગબારા તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઉમરપાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.</p> <p>દાહોદ: લીમખેડા તાલુકાના પાલ્લી ગામે એક દુ:ખદ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ચાર લોકોના મોત થયા છે. પાલ્લી નજીક રસ્તા પર ખરાબ થયેલી ટ્રક પાસે ઉભા રહેલા લોકોને એક અન્ય વાહને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં દેવરાજસિંહ લાખાભાઈ નકુમ (ઉ.વ. ૪૭, રહે. અંકલેશ્વર) અને જશુબા દેવરાજભાઈ નકુમ (ઉ.વ. ૪૯, રહે. અંકલેશ્વર)નો સમાવેશ થાય છે. મૃતક પરિવાર અંકલેશ્વર અને ધોળકા તાલુકાનો વતની હોવાનું જાણવા મળ્યું છે.</p> <p>સુરત શહેર: સુરતમાં હેલ્મેટની અમલવારી પહેલાં એક હૃદયદ્રાવક અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. શહેરના પારલે પોઇન્ટ બ્રિજ પર મોટરસાયકલ ડિવાઈડર સાથે અથડાતા ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી બે યુવાનોનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે. અકસ્માત સમયે ત્રણેય મિત્રો એક જ મોટરસાયકલ પર સવાર હતા અને ઉમરાથી અઠવાગેટ તરફ જઈ રહ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જો ચાલકોએ હેલ્મેટ પહેર્યા હોત તો કદાચ તેમનો જીવ બચાવી શકાયો હોત. આ અકસ્માત હેલ્મેટના મહત્વ અને માર્ગ સલામતીના નિયમોના પાલન પર ભાર મૂકે છે.</p> <p><strong>આ પણ વાંચો....</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/india/aap-leader-atishi-exposes-bjp-mlas-infighting-over-departments-929306">ભાજપ પર આતિશીનો સનસનીખેજ આરોપ: મંત્રી પદ માટે ભાજપમાં....., પ્રજાના કામ બાજુ પર!</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...