Skip to main content

ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર


<p><strong>Discrimination against Dalits in temples: </strong>વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શિવ મંદિર અને અન્ય ત્રણ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને અવગણવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવ્યો નહીં. એટલું જ નહીં, ગામના સરપંચ, જે અનુસૂચિત જાતિના છે, તેમનો ફાળો પણ નકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.</p> <p>જણાવવામાં આવી રહ્યું છે કે, 16 જાન્યુઆરીના રોજ, ગાંધીનગરથી ઈન્દ્રજિતસિંહ સોઢાને આ ભેદભાવ વિશે જાણ થતાં, તેઓ તરત જ કલ્યાણપુરા ગામે પહોંચ્યા હતા. તેમણે મંદિરના મુખ્ય સંચાલક સાથે વાતચીત કરી, જેના પગલે સંચાલકે મંદિર કમિટીને પૂછ્યા પછી જવાબ આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ, અનુસૂચિત સમાજના વડીલો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.</p> <p>પરંતુ જ્યારે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં, ત્યારે હિંદુ યુવા સંગઠન-ભારત દ્વારા 5 અને 6 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચર્ચા દરમિયાન મંજૂરી નહીં મળે તેવી બાબતનો સંકેત આપવામાં આવ્યો હતો. આ પછી પણ કોઈ પરિણામ ન આવતા, 4 ફેબ્રુઆરીના રોજ સુઈગામ પીએસઆઈએ આયોજકો સાથે વાતચીત કરી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં.</p> <p>નિરાશ થઈને, 7 ફેબ્રુઆરીના રોજ DYSPને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. DYSPએ સમાધાન કરાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ દલિત સમાજનો ફાળો સ્વીકારવામાં આવ્યો નહીં. અંતે, 9 ફેબ્રુઆરીના રોજ ઈન્દ્રવદન બારોટે મુખ્યમંત્રીને પત્ર લખીને ઈમેઈલ દ્વારા મોકલ્યો હતો. આ પત્રની નકલ સામાજિક ન્યાય મંત્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર અને સ્થાનિક મીડિયાને પણ મોકલવામાં આવી હતી.</p> <p>આટલા પ્રયાસો છતાં, 18 ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવ દલિત સમાજના ફાળા વગર જ પૂર્ણ થયો હતો. સમગ્ર દલિત સમાજે શાંતિ જાળવી રાખી હતી, પરંતુ આ ભેદભાવ સામે ન્યાય માટે લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.</p> <p>આ ઘટના અંગે દલિત આગેવાન અશ્વિનભાઈ સક્સેનાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "દરેક લોકોને સાથે મળીને ચાલવું જોઈએ. જે ઘટના સામે આવી છે તેમાં ક્યાંક અમુક વ્યક્તિઓની માનસિકતાના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે બધા સમાજના બધા લોકો ખરાબ નથી હોતા, પરંતુ અમુક વ્યક્તિઓના કારણે આવું બનતું હોય છે. આ બાબતે અમુક લોકોની માનસિકતાના કારણે હિન્દુ સમાજને તોડવાનું કામ થઈ રહ્યું છે, જે ન થવું જોઈએ અને આવી બનતી ઘટનાઓ રોકવી જોઈએ."</p> <p><strong>આ પણ વાંચો....</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/big-relief-for-poor-gujarat-s-g-safal-scheme-to-empower-50-000-families-929300">ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...