Skip to main content

Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર


<p style="text-align: justify;"><strong>ખેડા:</strong> રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો પોતાના પતાધિકારીનો ઉપયોગ કરી રહ્યા છે. તો બીજી તરફ ખેડા જિલ્લામાંથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અહીં મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચુંટણીના મતદાન કેન્દ્ર &nbsp;પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.</p> <p style="text-align: justify;">વોર્ડ નંબર પાંચના મતદાન મથક 3 ખાતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. વીરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીધેલો પ્રિસાઇડીંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક છે. આ ઘટના બાદ કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઇડીંગ ઓફિસ ને હટાવી દેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે, જો પ્રિસાઇડીંગ ઓફિસર પીઘેલો હશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. &nbsp;હાલ પીધેલા પ્રિસાઇડીંગ ઓફિસરને સોનાવાલા હાઈસ્કૂલમાં મહેમદાવાદ પાલિકા ચુંટણી અધિકારી પાસે મોકલવામાં આવ્યો છે.</p> <h4 class="abp-article-title">જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ</h4> <p>જૂનાગઢમાં આજે મહાપાલિકાની ચૂંટણી યોજાઈ છે. મહાપાલિકાના 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતાં 13 વોર્ડ માટે મતદાન ચાલી રહ્યું છે. વોર્ડ નંબર 3 અને 14ના ભાજપના ઉમેદવારો બિનહરીફ થતાં 52 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 251 મતદાન મથકો પર કુલ 157 ઉમેદવારો માટે મતદાન શરૂ થયું છે.</p> <p>251 મતદાન મથક પર 1424 પોલિંગ સ્ટાફ મતદાનની પ્રક્રિયામાં કાર્યરત છે. જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 229116 મતદારો નોંધાયા છે. 117163 પુરુષ અને 111943 મહિલા અને 10 અન્ય મતદારો નોંધાયા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 113 સંવેદનશીલ બુથ અને 16 અતિ સંવેદનશીલ બુથ જાહેર કરવામાં આવ્યા છે.</p> <p><strong>શક્તિસિંહ ગોહિલે બીજેપી પર કર્યા આકરા પ્રહારો</strong></p> <p>ગુજરાતમાં લોકલ ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નગરપાલિકાની ચુંટણીને લઈને માહિતી આપી હતી.ચૂંટણી પવિત્ર પર્વ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર અને રૂપિયાના જોરે લડી રહ્યા છે.</p> <p>અમુક ઉમેદવારોને કાવાદાવાઓ કરવામા સફળ થયા છે.બિન હરીફ કરાવીને મતદારોને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા છે. તમે કામો કર્યા હોય તો તમે શા માટે બિન હરીફ કરાવો છો. નળ,ગટર અને રસ્તા એટલે નગર રાજ્યમાં ક્યાંય સારા નથી. 5 વર્ષ પહેલાં ચૂંટણીના પરિણામો નિરાશા જનક રહ્યા હતા.</p> <p>ગઈકાલે ભાજપના નેતા 500-500 રૂપિયાની થપ્પીઓ લઈને મતદાન કરવા કહેતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાઓ રૂપિયા વિતરણ કરતા હોય તેવો વિડીયો જાહેર કર્યો હતો.જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હું ગયો હતો. જૂનાગઢમાં 6 ફાટકો અને 8 રેલવે ક્રોસિંગ છે. દર વખતે ચૂંટણીમાં ભાજપ નેતાઓ રેલવે ક્રોસિંગમાંથી મુક્ત કરવામાં વાયદાઓ કરે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં જ અમેરિકાએ ટેરીફ ઘટાડવાની ના પાડી દીધી છે. &nbsp;વિદેશ નીતિઓ અંગે બેઠક નિષ્ફળ ગઈ કહેવાય.આપણી સરકારે લાલ આંખ કરવાને બદલે વિદેશ મંત્રીએ સાંસદમાં ટ્રમ્પે બધું સારું કર્યું હોય તેવુ હતું.</p> <p>કોલંબિયા જેવો દેશ નાગરિકોને હાથકડીઓ પહેરવા દીધી નથી.ગેરકાયદેસર હોઈ તો અમને કહો અમારું પ્લેન આવી લઈ જશે. હાથકડી પહેરાવવાની કોઈ જરૂર નથી તેવું કોલંબિયા જેવા દેશે કરી બતાવ્યું હતું, તો ભારત જેવો આવડો મોટો દેશ કેમ ન કરી શક્યો. ભારતીયોને અમદાવાદમાં ઉતારવામાં કેમ ન આવ્યા,અહીં તમે બેડીમાં જકડીને કેમ લાવ્યા,ગુજરાતની પોલીસે પણ અમેરિકાથી આવેલા લોકોને તત્કાલીક પૂછપરછ કરી હતી. દિલ્હી ચૂંટણીના પરિણામોની આ ચૂંટણી પર કોઈ અસર નહિ રહે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય રાજ્યોના મુદ્દાઓ અસર નહિ કરે. રાજકોટના કુંભમેળામાં મેયર કાર લઈને જવાના મામલે શક્તીસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પાડાઓની લડાઈમાં જાડનો સોથ વળે છે.</p> <p>ભાજપના મોટા નેતાઓની લડાઈમાં નાના નેતાઓ ભોગ બને છે. સંનિષ્ઠ કાર્યકરોને રોજરોજ અપમાનિત કરવામાં આવે,ભાજપમાં ધનસંગ્રહ કરતા નેતાઓ આગળ પડતા છે.પરિવર્તન દુનિયાનો નિયમ છે. ભરત સોલંકી અને દિપક બાબરીયા અમારા સંનિષ્ઠ કાર્યકરો છે.બન્ને સારા નેતાઓ છે, તેની શક્તિનો ઉપયોગ જરૂર પડ્યે કરવામાં આવશે જ.</p> <p><strong>આ પણ વાંચો...</strong></p> <h4 class="abp-live-blog-title"><a title="Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ" href="https://ift.tt/zK2FhEn" target="_self">Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ</a></h4>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...