Skip to main content

જીતુ વાઘાણીની મોટી જાહેરાત: રાજ્યની 224 APMC ની કાયાપલટ થશે; સરકારે સહાયમાં 100% નો વધારો કર્યો


<p><strong>Gujarat APMC News:</strong> ગાંધીનગર (Gandhinagar) થી ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ માટે અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) ના વિકાસ માટે સરકારે હવે પોતાની તિજોરીના દરવાજા ખોલવાનો નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે 'ગુજરાત નિયંત્રણ બજાર સંઘ' ના હોદ્દેદારો અને રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવાયા હતા.</p> <p>આ બેઠકમાં સૌથી મોટો નિર્ણય માર્કેટ યાર્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ સહાયને લઈને લેવામાં આવ્યો છે. સંઘની રજૂઆતને ગ્રાહ્ય રાખીને કૃષિમંત્રીએ જાહેરાત કરી છે કે હવે APMC ને બાંધકામ માટે મળતી ગ્રાન્ટમાં સીધો બમણો વધારો કરવામાં આવશે. એટલે કે અત્યાર સુધી જે ₹5 Crore ની સહાય મળતી હતી, તે વધારીને હવે ₹10 Crore કરવામાં આવશે.</p> <p>જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે સંઘ દ્વારા વિકાસ કાર્યો માટે ₹15 Crore ની માંગણી કરવામાં આવી હતી, પરંતુ સરકારે હાલ પૂરતી ₹10 Crore ની મંજૂરી આપી છે. આ નિર્ણયથી માર્કેટ યાર્ડમાં ગોડાઉન, દુકાનો અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં મોટી મદદ મળશે.</p> <p>એપીએમસીની આવકના મુખ્ય સ્ત્રોત સમાન 'શેષ' (Cess) ના મુદ્દે પણ સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે. હોદ્દેદારોએ મંત્રી સમક્ષ માંગણી કરી હતી કે ટેકાના ભાવે (MSP) થતી ખરીદી પર પણ APMC ને શેષ મળવી જોઈએ. મંત્રીએ આ બાબતે ખાતરી આપી છે કે આગામી દિવસોમાં સરકાર આ દિશામાં ચોક્કસ અને હકારાત્મક નિર્ણય લેશે.</p> <p>આ બેઠકનો સૌથી જટિલ અને સંવેદનશીલ મુદ્દો એપીએમસીના કર્મચારીઓના પગાર અને દરજ્જાનો હતો. સંઘે મજબૂત દલીલ કરી હતી કે ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય દેશના અન્ય તમામ રાજ્યોમાં APMC ના કર્મચારીઓને સરકાર દ્વારા પગાર ચૂકવવામાં આવે છે, તેથી ગુજરાતમાં પણ આ પ્રથા અમલી બનવી જોઈએ.</p> <p>આ રજૂઆતને અત્યંત ગંભીરતાથી લઈને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કર્મચારીઓને આશ્વાસન આપ્યું છે. તેમણે ખાતરી આપી છે કે APMC ના કર્મચારીઓને સરકાર હસ્તક ગણવા અને પગાર ધોરણ નક્કી કરવા અંગેનો પ્રસ્તાવ આગામી 'કેબિનેટ બેઠક' (Cabinet Meeting) માં મૂકવામાં આવશે, જ્યાં તેના પર આખરી નિર્ણય લેવાશે.</p> <p>આ મહત્વપૂર્ણ બેઠકમાં સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એકંદરે, આ નિર્ણયોથી રાજ્યની 224 માર્કેટ યાર્ડની આર્થિક સ્થિતિ સુધરશે અને માળખાગત સુવિધાઓમાં વધારો થશે તે નક્કી છે. સરકારના આ પગલાને સહકારી ક્ષેત્રના આગેવાનોએ આવકાર્યો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...