Skip to main content

ભર શિયાળે અષાઢ જેવો માહોલ! 8 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, જાણો અપડેટ્સ


<p><strong>Gujarat Weather Update Today:</strong> ગુજરાતમાં ઠંડીનું જોર ઘટતાની સાથે જ વાતાવરણમાં એકાએક પલટો (Weather Change) આવ્યો છે. ભર શિયાળે રાજ્યના માથે 'માવઠા' (Unseasonal Rain) નું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે સોમવારે, 2 February, 2026 ના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા છે.</p> <p>હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આજે રાજ્યના 8 જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘગર્જના સાથે હળવા વરસાદની શક્યતા છે. આ ચેતવણી આપેલા જિલ્લાઓમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા અને પંચમહાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.</p> <p>હવામાન વિભાગની આગાહી સાચી પડતી હોય તેમ આજે સવારથી જ પંચમહાલ અને મહીસાગર પંથકમાં વાતાવરણ પલટાયું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણાં પંથકમાં કમોસમી વરસાદ (Non-seasonal Rain) વરસ્યો હતો. જ્યારે મહીસાગરના સંતરામપુર વિસ્તારમાં પણ માવઠાની અસર જોવા મળી હતી.</p> <p>ખેતરોમાં અત્યારે શિયાળુ પાક તૈયાર થવાના આરે ઉભો છે, ત્યારે જ કુદરત રૂઠી હોય તેમ વરસાદી છાંટા પડતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. જો વરસાદનું જોર વધશે તો રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.</p> <p>કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતો માટે તાકીદની એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે. જે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય, તેમણે તાત્કાલિક તેને સુરક્ષિત ગોડાઉન કે છત નીચે ખસેડી લેવો. જો પાક ખસેડવો શક્ય ન હોય તો તેને પ્લાસ્ટિક અથવા સારી ગુણવત્તાની તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકી દેવો જેથી પાણીથી નુકસાન ન થાય.</p> <p>ખેતીવાડી અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે જ્યાં સુધી વાદળછાયું કે વરસાદી વાતાવરણ રહે ત્યાં સુધી પાક પર કોઈપણ પ્રકારની જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. આ ઉપરાંત વાવેતર માટે રાખેલું બિયારણ અને ખાતરનો જથ્થો પણ પલળે નહીં તેની ખાસ તકેદારી રાખવી.</p> <p>માત્ર ખેતરોમાં જ નહીં, પરંતુ વિવિધ માર્કેટિંગ યાર્ડ (APMC) માં જણસી વેચવા આવતા ખેડૂતો અને વેપારીઓને પણ સાવચેત રહેવા જણાવાયું છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પલળે નહીં તે માટે શેડની વ્યવસ્થા કરવા અથવા તાડપત્રી ઢાંકવા સત્તાધીશો દ્વારા અનુરોધ કરાયો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...