
<p><strong>Gujarat Politics News:</strong>ઉમેશ મકવાણા, કરસનદાસ ભાદરકા બાદ AAPને ત્રીજો ઝટકો લાગ્યો છે. હવે આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ રાજુનામુ આપી દીધું છે. આ મુદ્દે હવે આમ આદમી પાર્ટી સહિતના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ગુજરાત આમ આદમી પાર્ટીના અઘ્યક્ષ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે શું કહ્યું જાણીએ</p> <p><strong>રાજુ કરપડાના રાજીનામા બાદ ઇસુદાન ગઢવીએ શું કહ્યું </strong><br />ગુજરાત આમ આદમી પાર્ટીના અઘ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, "આજે ખેડૂત નેતા રાજુભાર કરપડાનું મને વ્હોટસએપ પર રાજીનામુ મળ્યું છે. મારે કોઇ સાથે રૂબરૂ વાતચીત નથી થઇ પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે, રાજુએ કરપડાએ હળદરથી લઇને જે મુદ્દા ઉઠાવ્યાં. જેનાથી ખેડૂતોને તેમનાથી ઘણી ઉમ્મીદ પણ જાગી હતી. જો કે આ સમયે ભાજપે પ્રવિણ રામ, રાજુ કરપડા સહિત 86 જેટલા લોકો પર કેસો કર્યો અને ડરાવવાની કોશિશ કરી. ભાજપ આ રીતે ડરારવાની કોશિશ કરતું રહશે અને આમ આદમી પાર્ટીના એક એક નેતા અને એક એક સંઘર્ષશીલ ખેડૂત સત્ય માટે લડતો રહેશે. મારી રાજુ કરપાડા સાથે વાત નથી થઇ પરંતુ હું કહીશે કે, તે ખૂબ જ મજબૂત નેતા અને લડાયક નેતા છે તેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે. અને ખેડૂતોનો હિત માટે લડતાં રહ્યાં છે. </p> <p><strong>પ્રવિણ રામની પ્રતિક્રિયા </strong></p> <p>પ્રવિણ રામે આ સમાચાર સાંભળી દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે "અમે બંનેએ જેલમાં રહીને ખેડૂતોના હિત માટે ખૂબ લડાઈ લડયાં છીએ. અમને શંકા છે કે ભાજપના દબાણને કારણે રાજુ કરપડાએ આ નિર્ણય લીધો હોઈ શકે છે. ખેડૂતોની લડાઇને તોડી નાખવા માટે અમને જેલમાં 108 દિવસ યાતના આપવામાં આવી હતી., આ સમયે જેલમાં અમારા પર પ્રેસર આપવામાં કઇ બાકી ન હતું રાખવામાં આવ્યું. બની શકે ભાજપ પ્રેશરરના કારણે રાજીનામુ આપ્યું હોય અમારી સાથે કોઇ પ્રત્યક્ષ વાતચીત નથી થઇ. વાત થયા બાદ ચોક્કસ કારણ સામે આવશે તો અમે ચોક્કસ મીડિયા સમક્ષ મૂકીશું</p> <p><strong>ચૈતર વસાવાનું નિવેદન</strong><br />AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે રાજુ કરપડાનું યોગદાન ખેડૂતો માટે મહત્વપૂર્ણ રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેઓ ભવિષ્યમાં ફરીથી લોકહિત માટે કાર્ય કરશે</p>
Comments
Post a Comment