Skip to main content

ગાંધીનગરમાં કોંગ્રેસનો જન આક્રોશ: મનરેગા બચાવવા સરકાર સામે પરિવર્તનનો હુંકાર


<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>Gujarat Congress Protest:</strong> કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાને સ્થાને નવી 'વિકસિત ભારત જી રામ જી' યોજના લાવવાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ મેદાને ઉતરી છે. વિધાનસભાના <a title="બજેટ" href="https://ift.tt/apyZFlV" data-type="interlinkingkeywords">બજેટ</a> સત્રના પ્રથમ દિવસે જ, સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 ના રોજ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે 'મનરેગા બચાવો સંગ્રામ' ના નેજા હેઠળ વિશાળ 'જન આક્રોશ સભા' યોજવામાં આવી હતી. આ સભામાં રાજ્યભરમાંથી ઉમટી પડેલા લોકો, ખેડૂતો, આદિવાસીઓ અને મહિલા કર્મચારીઓની હાજરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત, 2027 ની વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધી ગુજરાતમાં અગાઉથી પ્રચાર કરશે તેવી જાહેરાત કરીને કોંગ્રેસે આગામી ચૂંટણીનો રોડમેપ પણ સ્પષ્ટ કર્યો છે.</span></p> <p style="text-align: justify;"><strong>અમિત ચાવડાનો હુંકાર: "ગોળી ખાવી પડે તોય તમારા માટે લડીશું"</strong></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધતા જણાવ્યું કે, અહીં ઉપસ્થિત જનમેદની મનરેગા કૌભાંડ અને મહિલા કર્મચારીઓના શોષણના જીવતા જાગતા પુરાવાઓ સાથે આવી છે. તેમણે આશ્વાસન આપતા કહ્યું કે, "રાહુલ ગાંધીના યોદ્ધાઓ તમારા માટે રસ્તા પર અને વિધાનસભામાં લડશે, જરૂર પડશે તો લાઠી અને ગોળી પણ ખાઈશું." ચાવડાએ જન આક્રોશ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ યાત્રા દરમિયાન દારૂ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા છે. તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, લોકો ખુલ્લેઆમ કહે છે કે પોલીસ હપ્તા લે છે. તેમણે આદિવાસીઓના અધિકારો અને ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવાનો કોંગ્રેસનો સંકલ્પ દોહરાવ્યો.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;"><br /><img src="https://ift.tt/F2sNGIy" /></span></p> <p style="text-align: justify;"><strong>ડબલ એન્જિન સરકાર પર તુષાર ચૌધરી અને ભરતસિંહના પ્રહારો</strong></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ ભાજપના 'ડબલ એન્જિન' ના દાવા પર કટાક્ષ કરતા કહ્યું કે, "એક એન્જિન ભાવ વધારે છે અને બીજું ભ્રષ્ટાચાર કરે છે." તેમણે સવાલ ઉઠાવ્યો કે જો ખરેખર વિકાસ થયો હોય તો રાજ્યના 3.65 કરોડ લોકોને મફત અનાજ કેમ આપવું પડે છે? તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે કલેક્ટરોની ધરપકડનો હવાલો આપતા સરકારની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ તો ભાજપ પર અંગ્રેજો કરતા પણ વધુ ભ્રષ્ટાચાર કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;"><br /><img src="https://ift.tt/INezCLH" /></span></p> <p style="text-align: justify;"><strong>બેલેટ પેપરથી ચૂંટણી અને મહિલા મંત્રીઓ પર કટાક્ષ</strong></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, જો ખરેખર 30 વર્ષ સુશાસન આપ્યું હોય, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવી જુઓ, 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે. તેમણે આમ આદમી પાર્ટીને ભાજપની 'બી ટીમ' ગણાવી. સાંસદ ગેનીબેન ઠાકોરે દારૂ ડ્રગ્સના દૂષણ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર પ્રહારો કર્યા. મહિલા નેતા જેની ઠુમ્મરે મહિલા મંત્રીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ માત્ર 20 હજાર રૂપિયાની મોંઘી સાડીઓ પહેરવા જ મંત્રી બન્યા છે અને મહિલાઓના પ્રશ્ને મૌન સેવે છે. આદિવાસી નેતા અનંત પટેલે ભાજપને 'નારંગી ગેંગ' ગણાવી અન્યાયી સરકારને બદલવા અપીલ કરી હતી.</span></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...