Skip to main content

Digital Anna Vitran: ગાંધીનગરથી દેશનું પ્રથમ અનાજ એટીએમ શરૂ, હવે રાશન કાર્ડની જરૂર નહીં પડે, જાણો કેવી રીતે મળશે ઘઉં-ચોખા


<p style="text-align: justify;"><span style="font-weight: 400;"><strong>Digital Grain Distribution Gujarat:</strong> કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતેથી દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (Central Bank Digital Currency CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) નો શુભારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના &lsquo;ડિજિટલ ઇન્ડિયા&rsquo; વિઝનને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ આ પ્રકલ્પ દ્વારા હવે રેશનિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રલ્હાદ જોશીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી ઝોન માટે &lsquo;અન્નપૂર્તિ&rsquo; ગ્રેઇન ATM સુવિધાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.</span></p> <p style="text-align: justify;"><strong>ગ્રેઇન ATM અને CBDC: ભ્રષ્ટાચાર નાબૂદીનું શક્તિશાળી શસ્ત્ર</strong></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે CBDC જેવી અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જાહેર વિતરણ વ્યવસ્થામાં વચેટિયાઓનો અંત આવશે. આ વ્યવસ્થા હેઠળ લાભાર્થીના ડિજિટલ વોલેટમાં સીધા જ ઈ રૂપી (e RUPI) જમા થશે, જેનો ઉપયોગ માત્ર સસ્તા અનાજની દુકાન કે ગ્રેઇન ATM (Grain ATM) પર જ થઈ શકશે. &lsquo;મેડ ઇન ગુજરાત&rsquo; એવું અન્નપૂર્તિ મશીન માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું સચોટ વિતરણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમ આગામી 3 થી 4 વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે, જે વજન અને ગુણવત્તાની દ્રષ્ટિએ 100% સચોટતાની ખાતરી આપે છે.</span></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;"><br /><img src="https://ift.tt/GEtrzJc" /></span></p> <p style="text-align: justify;"><strong>ગરીબી સામે &lsquo;ડિજિટલ સત્યાગ્રહ&rsquo; અને ગ્રાહક સુરક્ષા</strong></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીએ આ પહેલને સાબરમતીના કિનારેથી ગરીબી સામેનો &lsquo;ડિજિટલ સત્યાગ્રહ&rsquo; ગણાવ્યો હતો. આ સિસ્ટમ દ્વારા અંદાજે 2 થી 3 કરોડ બોગસ રેશનકાર્ડ રદ કરવામાં સફળતા મળી છે. કાર્યક્રમ દરમિયાન ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. આ કરારથી ફરિયાદોના નિવારણ માટે પ્રી લિટિગેશન ઇકોસિસ્ટમ ઊભી થશે, જેનાથી સામાન્ય નાગરિકોને કોર્ટ સુધી પહોંચ્યા વગર જ ન્યાય મળી રહેશે.</span></p> <p><iframe title="Ration ATM In Gujarat | ગુજરાતમાં પહેલા રાશન ATM મશીનનો પ્રારંભ, કેવી રીતે કરે છે કામ?" src="https://www.youtube.com/embed/KRGmWFbMBW8" width="1026" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;"><strong>વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ</strong></p> <p style="text-align: justify;"><span style="font-weight: 400;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે &lsquo;સેવા હી સાધના&rsquo; મંત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ટેકનોલોજીના માધ્યમથી ગરીબ, યુવા, મહિલા અને અન્નદાતા (GYAN) ના સશક્તિકરણનો પાયો નખાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે હવે શ્રમિકો 24 કલાકમાં ગમે ત્યારે ગ્રેઇન ATM પર જઈને માત્ર 5 મિનિટમાં પોતાનું રાશન મેળવી શકશે, જે રેશનિંગની લાંબી લાઈનોમાંથી મુક્તિ અપાવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transactions) ક્ષેત્રે ભારત આજે વિશ્વમાં અગ્રેસર છે અને આ નવી વ્યવસ્થા &lsquo;વિકસિત ભારત&rsquo; (Viksit Bharat) ના નિર્માણમાં એક મહત્વનો માઈલસ્ટોન સાબિત થશે.</span></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...