Skip to main content

Madresa Survey: આજથી ગુજરાતની તમામ મદરેસાઓમાં સર્વે શરૂ, રાષ્ટ્રીય બાળ આયોગે કર્યો આદેશ


<p><strong>Gujarat Madresa Survey:</strong> રાજ્યમાં ચાલી રહેલા તમામ મદરેસાઓને લઇને લઇને એક મોટી ખબર સામે આવી છે, રાજ્યની તમામ મદરેસામાં આજે સર્વેની કામગીરી શરૂ કરાઇ છે, લગભગ હાલમાં 1100 મદરેસા કાર્યરત છે. રાષ્ટ્રીય બાળ આયોગના આદેશ બાદ રાજ્યમાં આ સર્વેની કામગીરીમાં હાથ ધરવામાં આવી છે, જેમાં મદરેસાના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી કરવામાં આવશે.&nbsp;</p> <p>રાષ્ટ્રીય બાળ આયોગના આદેશને લઇને આજથી રાજ્યની તમામ મદરેસાઓમાં સર્વેની કામગીરી શરૂ કરાઇ છે, રાજ્યમાં ચાલી રહેલા તમામ મદરેસાઓ માટે કઇ રીતની કામગીરી થઇ રહી છે, અને ત્યાંનું ધારાધોરણ શું છે તે તમામની માહિતી એકઠી કરવામાં આવશે અને આજે જ આનો રિપોર્ટ પણ સોંપાશે.&nbsp;</p> <p>રાષ્ટ્રીય બાળ આયોગના આદેશને લઈને રાજ્યની તમામ મદરેસાઓના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી શરૂ કરાઇ છે. આમાં મદરેસાના સંચાલકનું નામ, ટ્રસ્ટ અને સંસ્થાનું નામ આપવા સૂચના અપાઇ છે. કઈ સંસ્થાની મંજૂરી મળી છે, અભ્યાસનો સમય શું છે તે અંગે પણ માહિતી આપવા સૂચનાઓ છે. 11 જેટલા મુદ્દાઓની તપાસ કરીને આજે જ માહિતી આપવા સૂચના અપાઇ છે. રાજ્યના તમામ DEOને આ મહત્વપૂર્ણ કામગીરી સોંપાઇ છે. હાલમાં રાજ્યમાં 1100 મદરેસાઓ કાર્યરત છે</p> <h4 class="abp-article-title">નોટીસ આપ્યા વગર કોઈને નોકરીમાંથી કાઢી ન શકાયઃ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો</h4> <p>ગુજરાત હાઈકોર્ટે કામદારોના હકમાં એક મહત્ત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે ચુકાદો આપ્યો કે કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર કામદારને નોકરીમાંથી છૂટા કરવા એ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધનું પગલું ગણાય. કોઈપણ આગોતરી સૂચના વિના કામદારને નોકરીમાથી કાઢી મુકવા એ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. ગુજરાત હાઈકોર્ટે વનવિભાગના કામદારોને નોકરીમાંથી હાંકી કાઢવાના કેસમાં આ નિર્ણય આપ્યો છે. પીડબલ્યુડી અને ફોરેસ્ટ એમ્પલોઈ યુનિયન તથા અન્યો દ્વારા કરાયેલી અરજીઓના કેસમાં જ સ્ટિસ હેમંત પ્રચ્છકે આ ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે અરજી કરનારાઓમાંથી કેટલાકને નોકરીમાં સંબંધિત લાભો અને સેવાના સાતત્ય સાથે પુનઃસ્થાપિત કરવા હુકમ કર્યો હતો. તો અન્ય બીજા કામદારોના કિસ્સામાં હાઈકોર્ટે તેમને મેનેજમેન્ટ સામે યોગ્ય રજૂઆત કરવા મંજૂરી આપી હતી અને સાથે જ કામદારોને રજૂઆતની પૂરતી તક આપી છ સપ્તાહમાં નિર્ણય લેવા હાઈકોર્ટે મેનેજમેન્ટને હુકમ કર્યો હતો. જોકે કોઈપણ નિર્ણય કરતાં પહેલા સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદા અને સરકારના 1988ના ઠરાવ સહિતની જોગવાઈઓને ધ્યાનમાં લેવા પણ હાઈકોર્ટે સત્તાવાળોને જણાવ્યું હતું.</p> <p>નોંધનીય છે કે, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સરકારના 1988ના ઠરાવના લાભોથી વંચિત રાખી કેટલાક કામદારોની નોકરીની સેવાઓને ગેરકાયદેસર રીતે સમાપ્ત કરામાં આવી હતી. મેનેજમેન્ટ અને સત્તાવાળાઓના આ નિર્ણયથી નારાજ કર્મચારીઓએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હત કે, અરજદારોને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નિમણૂક આપવામાં આવી હતી અને નોકરીમાં રોજમદાર કામદાર તરીકે તેમનો કાર્યકાળ સાત વર્ષતી વધુનો થવાં છતાં તેમને લઘુતમ વેતન કરતાં પણ ઓછું વેતન આપવામાં આવતું હતું. નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા બાદ પણ તેને નિવૃત્તિના લાભો આપવામાં આવ્યા ન હતા. ખુદ સરકાર દ્વારા જ 1988ના ઠરાવમાં સંબંધિત લાબો અને હક્કો આપવાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં સત્તાવાળાઓ આ ઠરાવને ઘોળીને પી ગયા હતા અને કામદારોને તેમના કાયદેસરના હક્ક અને અધિકારથી વંચિત રાખ્યા હતા. જોકે કામદારોની રજૂઆત બાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...