Skip to main content

ડિજિટલ યુગમાં 'સ્વચ્છતા પ્રહરી'નો ઉદય:સુરત મહાનગરપાલિકા દ્વારા 250થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ માટે ભવ્ય વર્કશોપનું આયોજન


https://ift.tt/miB6wou સુરત શહેર હંમેશા નવીન પ્રયોગો અને નાગરિક ભાગીદારી માટે જાણીતું રહ્યું છે. 'સ્વચ્છ સર્વેક્ષણ'માં રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડનાર સુરત મહાનગરપાલિકાએ હવે સ્વચ્છતાના અભિયાનને ડિજિટલ ક્રાંતિ સાથે જોડવાનું મક્કમ ડગલું માંડ્યું છે. સુરત મહાનગરપાલિકા અને સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આજે શહેરના સાયન્સ સેન્ટર ખાતે “Swachhata workshop for creators – Swachhata prahari Meet – creators of a Swachh Gujarat” શીર્ષક હેઠળ એક ઐતિહાસિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ફ્લુએન્સર્સ, યુથ લીડર્સ અને NGO પ્રતિનિધિઓને એક મંચ પર એકત્રિત કર્યા આજના સમયમાં સોશિયલ મીડિયા એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સમાજમાં પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી હથિયાર છે. આ જ વિચારધારાને અમલમાં મૂકતા સુરત મહાનગરપાલિકાએ શહેરના 250 થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ, યુથ લીડર્સ અને NGO પ્રતિનિધિઓને એક મંચ પર એકત્રિત કર્યા હતા. આ 'સ્વચ્છતા પ્રહરીઓ' પોતાની સર્જનાત્મક રીલ્સ અને પોસ્ટ્સ દ્વારા લાખો ફોલોઅર્સ સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડશે. અનુપમસિંહ ગહેલોતે હાજરી આપી ક્રિએટર્સનો ઉત્સાહ વધાર્યો આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ, અને સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન (IAS) અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે હાજરી આપી ક્રિએટર્સનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, ડે. મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ, સિટી એન્જિનિયર ધર્મેશ ભગવાગર અને આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગર પણ કાર્યક્રમમાં જોડાયા હતા. 'કચરામાંથી કંચન' બનાવવાની પ્રક્રિયાનું પ્રત્યક્ષ દર્શન વર્કશોપની શરૂઆત માત્ર ભાષણોથી નહીં, પરંતુ 'ફિલ્ડ વિઝિટ' થી કરવામાં આવી હતી. સવારે 10:00 થી 12:30 દરમિયાન ક્રિએટર્સને સુરત પાલિકાના વિવિધ અત્યાધુનિક પ્લાન્ટ્સની મુલાકાત લેવડાવવામાં આવી હતી. બાંધકામના કાટમાળનો કેવી રીતે પુનઃઉપયોગ થાય છે તેની સમજ આપવામાં આવી સાથે પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટેની ટેકનિકલ પ્રક્રિયા બતાવાઈ હતી ગંદા પાણીને શુદ્ધ કરી ઉદ્યોગો માટે વાપરવાની ક્ષમતા નિહાળી ક્રિએટર્સ આશ્ચર્યચકિત થયા હતા. ભીના કચરામાંથી ગ્રીન એનર્જી બનાવવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. તેમજ 'રીડ્યુસ, રીયુઝ, રીસાઈકલ, રીફ્યુઝ અને રીકવર' ના સિદ્ધાંત પર ચાલતા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. 'સ્ટોરી ટેલિંગ' ના માધ્યમથી ગંભીર વિષયોને સરળ બનાવી લોકો સુધી પહોંચાડી શકે આ મુલાકાત દરમિયાન ક્રિએટર્સ દ્વારા સ્થળ પર જ લાઈવ વિડીયો અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી, જેથી લોકો જાણી શકે કે તેમનો કચરો ક્યાં જાય છે અને કેવી રીતે પ્રોસેસ થાય છે. બપોરે 1:30 વાગ્યે ટેકનિકલ સત્રની શરૂઆત થઈ. જેમાં નિષ્ણાતો દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન અને વપરાયેલા પાણીના સંચાલન પર વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા. ક્રિએટર્સને સમજાવવામાં આવ્યું કે કેવી રીતે તેઓ 'સ્ટોરી ટેલિંગ' ના માધ્યમથી ગંભીર વિષયોને સરળ બનાવી લોકો સુધી પહોંચાડી શકે છે. કન્ટેન્ટ મેકર્સ એ સમાજના નવા જમાનાના સંદેશવાહકો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ હાજર રહી શક્યા ન હતા, પરંતુ તેમણે ડિજિટલ ક્રિએટર્સ માટે એક વિશેષ સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજના યુગમાં કન્ટેન્ટ મેકર્સ એ સમાજના નવા જમાનાના સંદેશવાહકો છે. તમારી સર્જનાત્મકતા અને ડિજિટલ એન્ગેજમેન્ટ સ્વચ્છતાના અભિયાનને જન આંદોલન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.” આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ 'સ્વચ્છતા રીલ્સ કોમ્પિટિશન' નું લોન્ચિંગ હતું. સુરત મહાનગરપાલિકાએ જાહેરાત કરી કે જે ક્રિએટર્સ સ્વચ્છતા વિષય પર સૌથી પ્રભાવશાળી અને સર્જનાત્મક રીલ્સ બનાવશે, તેમને પાલિકા દ્વારા રોકડ પુરસ્કાર અથવા સન્માન પત્ર આપી ફેલિસીટેટ કરવામાં આવશે. આ સ્પર્ધાનો હેતુ યુવાનોને સ્વચ્છતા સાથે જોડવાનો છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...