Skip to main content

ભાવનગરમાં પોલીસ-ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ:GCAS પોર્ટલની ખામીઓ અને શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધ આંદોલન, કાર્યકરોની અટકાયત


https://ift.tt/rl6fZ2n ગુજરાતમાં કોલેજ પ્રવેશ માટેના GCAS (Gujarat Common Admission Services) પોર્ટલમાં જોવા મળતી ખામીઓ અને રજિસ્ટ્રેશન ફીના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે. આ અંતર્ગત ભાવનગરના વાઘાવાડી રોડ પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં મામલો ગરમાયો હતો. રૂ.300ની રજિસ્ટ્રેશન ફીને બંધ કરવાની માંગ ABVPના ગુજરાત પ્રદેશ સહમંત્રી જયદીપસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, જીકાસ પોર્ટલમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ ન હોવાથી વિદ્યાર્થીઓને મોંઘી ફી ભરીને અન્યત્ર શિક્ષણ લેવાની ફરજ પડે છે આ શિક્ષણના વ્યાપારીકરણ તરફ ઈશારો કરે છે. વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી રૂ.300ની રજિસ્ટ્રેશન ફીને વિદ્યાર્થીઓ પરનું આર્થિક ભારણ ગણાવી તેને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. જો ખાનગી યુનિવર્સિટીઓને સામેલ ન કરવામાં આવે, તો એડમિશન પ્રક્રિયાને ડી-સેન્ટ્રલાઈઝ કરી જે-તે યુનિવર્સિટીને પ્રવેશ માટેની સ્વાયત્તતા આપવી જોઈએ. જીકાસ પોર્ટલ માત્ર ડેટા કલેક્શનનું માધ્યમ બની રહેવું જોઈએ, નહીં કે પ્રવેશમાં અવરોધરૂપ. પોલીસ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ ​આજે શહેરના વાઘાવાડી રોડ પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જયદીપસિંહ ગોહિલ એ આક્ષેપ કર્યો હતો કે, શાંતિપૂર્ણ આંદોલન દરમિયાન પોલીસ કર્મીઓ દ્વારા કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો છે" આ ઘટના બાદ નીલમબાગ પોલીસ દ્વારા જયદીપસિંહ ગોહિલ સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં આંદોલનની ચીમકી તેમજ વધુમાં જણાવ્યું હતું કે, ​અમે ભાજપનો ભાગ નથી, ​ABVP એ ભાજપનું સંગઠન નથી, પરંતુ એક સ્વતંત્ર વિદ્યાર્થી સંગઠન છે તે RSS સાથે સંકલન ધરાવતી ભગિની સંસ્થા છે. ABVPએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં વિદ્યાર્થીલક્ષી આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...