Skip to main content

Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત કેસનો FSL રિપોર્ટ આવ્યો સામે, જાણો વિગતે


<p style="text-align: justify;"><strong>Ahmedabad News:</strong> અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોતના કેસમાં રહસ્ય વધુ ઘેરાયું છે. આ ચકચારી ઘટનામાં હવે FSLનો રિપોર્ટ સામે આવ્યો છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ તત્વો કે ઝેરી અંશો મળી આવ્યા નથી. FSL રિપોર્ટમાં કંઈ જ વાંધાજનક ન જણાતા હવે બંને બાળકીઓના મોતનું ચોક્કસ કારણ જાણવું પોલીસ માટે એક મોટો પડકાર બની ગયું છે. એક તરફ ભોજન બાદ તબિયત બગડવાની આશંકા હતી, ત્યારે બીજી તરફ લેબોરેટરી રિપોર્ટે તપાસમાં નવો વળાંક લાવતા પોલીસ માટે આ ગુપ્ત કોકડું ઉકેલવું મુશ્કેલ બન્યું છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;"><strong>શું હતી સમગ્ર ઘટના?</strong></p> <p style="text-align: justify;">3 એપ્રિલે ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, &nbsp;કહેવામાં આવ્યું હતું કે, ઢોસા ખાધા પછી ફૂડ પોઈઝનિંગના કારણે એક જ પરિવારની 2 માસૂમ બાળકીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ગોઝારી ઘટનામાં બાળકીઓના માતા-પિતાની પણ તબિયત લથડતા તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે પરિવારે સ્થાનિક ડેરીમાંથી લાવેલા ઢોસાના ખીરાને આ મોત માટે જવાબદાર ઠેરવીને ગંભીર સવાલો ઉભા કર્યા હતા. જોકે, સામે પક્ષે ડેરી સંચાલકે પોતાના બચાવમાં આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.</p> <p style="text-align: justify;">આ અંગે વિગતા વાત કરીએ તો, ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં રહેતા પ્રજાપતિ પરિવાર સાથે આ હચમચાવી દેનારી ઘટના બની હતી. વિગતો મુજબ પરિવારની 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિષ્ટિ નામની બે દીકરીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારનો સીધો આક્ષેપ છે કે બહારથી લાવેલા ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ જ તેમની તબિયત બગડી હતી અને અંતે આ કરુણાંતિકા સર્જાઈ. 1 એપ્રિલના રોજ IOC રોડ પર આવેલી 'ઘનશ્યામ ડેરી'માંથી ઢોસા બનાવવાનું ખીરું લાવવામાં આવ્યું હતું. તે જ દિવસે સાંજે બાળકીઓના પિતા વિરલ પ્રજાપતિએ ઢોસા ખાધા હતા અને ત્યારબાદ તેમની તબિયત બગડી હતી.</p> <p style="text-align: justify;">ત્યારબાદ બીજા દિવસે એટલે કે 2 એપ્રિલે પત્ની ભાવના અને મોટી દીકરી મિષ્ટિએ પણ એ જ ખીરામાંથી બનેલા ઢોસા ખાધા હતા. સાંજ પડતા જ બંનેને ઉલ્ટીઓ થવા લાગી હતી. 4 વર્ષની મિષ્ટિની હાલત વધુ લથડતા તેને પહેલા પુષ્પા હોસ્પિટલ અને પછી વધુ સારવાર માટે કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ કમનસીબે સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. બંને દીકરીઓના મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો.&nbsp;</p> <p style="text-align: justify;">તો બીજી તરફ, જેના પર આક્ષેપ છે તે ઘનશ્યામ ડેરીના માલિકે આ મામલે પોતાનો બચાવ કરતા નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 30 વર્ષથી ડેરી દ્વારા અલગ-અલગ ખાદ્યપદાર્થો બનાવવાની કામગીરી કરે છે અને ખીરું તેમના પોતાના એકમમાં જ બનાવવામાં આવે છે. તેમના કહેવા મુજબ, ડેરીમાંથી રોજનું 100 થી 125 કિલો જેટલું ખીરું વેચાય છે. જે દિવસે બાળકીના પિતાએ આવીને ફરિયાદ કરી, ત્યારે ડેરી માલિકે ગામના અન્ય ગ્રાહકો (જેઓ તે દિવસે ખીરું લઈ ગયા હતા) તેમની પણ પૂછપરછ કરી હતી. જોકે, તેમાંના કોઈ પણ ગ્રાહકો તરફથી અત્યાર સુધીમાં આવી કોઈ જ ફરિયાદ મળી નથી. જે બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. આ બન્ને બાળકીના મોતનું કારણ FSL માં જાણવા મળશે તેમ લાગતું હતું પરંતુ FSL રિપોર્ટમાં પણ કઈ જાણવા ન મળતા મોતનું કોકડું વધુ ગુચવાયું છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...