Skip to main content

ચૈત્રમાં અષાઢી માહોલથી ખેડૂતો ચિંતિતઃ બાજરી, તલ, લસણ, ડુંગળી, મગ સહિતના પાકોને નુકસાનની ભીતિ


<p><strong>Gujarat Rain:</strong> ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છથી લઇ ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કમોમસી વરસાદી પડી રહ્યો છે. માવઠાથી સામાન્ય માણસોને જ તો અસર પહોંચી જ છે પરંતુ સૌથી વધુ અસર ખેડૂતોને પહોંચી છે, માવઠાથી બાજરી, તલ, લસણ, ડુંગળી, મગ, જેવા પાકોમાં નુકસાની ભીતિ સેવાઇ છે. ગુજરાતના ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો પડી જવાના ડરથી ફફડાટ ફેલાયો છે. હવામાન વિભાગ અનુસાર, હજુ આગામી દિવસોમાં પણ ઠેક ઠેકાણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હજુ પણ 36 કલાક ખેડૂતો માટે ભારે છે. ત્યારે આજે વહેલી સવારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો છે. તો બીજી બાજુ આજે પણ ગુજરાતના નવ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.</p> <p>ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. એપ્રિલની શરૂઆતમાં જ રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી ઝાંપટા શરૂ થયા છે. ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમ સર્જાતા આ સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોને આવનારા દિવસોમાં સાવધાન રહેવું પડશે. કમોસમી વરસાદ પડતાં બાજરી, તલ, લસણ, ડુંગળી, મગ જેવા પાકોમાં નુકસાની ભીતિ સેવાઇ રહી છે. આજે વહેલી સવારથી અનેક જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવતા ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો 40 થી 50 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં 36 થી 37 ડિગ્રી તાપમાન રહેશે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;</p> <p><strong>પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વરસ્યો વરસાદ</strong><br />રાજ્યના વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની સૌથી વધુ અસર થઇ રહી છે. ખાસ કરીને પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકા, ગીર સોમનાથ બાદ પોરબંદરમાં વાતાવરણમાં સવારથી મૌસમનો મિજાજ બગડ્યો છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી હળવો વરસાદ શરૂ થયો હતો. &nbsp;ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં હજુ 3 દિવસ બરબાદીના વરસાદની આગાહી છે.&nbsp;<br />આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી આજે કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. &nbsp;આજે ગીર સોમનાથ સાથે &nbsp;ભાવનગરમાં &nbsp;પણ કમોસમી વરસાદ વરસી શકે છે.&nbsp;</p> <p>દ્વારકામાં સતત બીજા દિવસે બરબાદીનો કમોસમી વરસાદ વરસ્યો. &nbsp;દ્વારકામાં સવારે ગાજવીજ સાથે નુકસાનીનો વરસાદ વરસતા શુક્રવારની સવાર ખેડૂતો માટે આફત બનીને આવી અને માવઠાનો વરસાદ બરબાદી બનીને વરસ્યો. માવઠાના કારણે ખેડૂતો &nbsp;ચિંતામાં મૂકાયા છે. વરસાદના કારણે દ્વારકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે. જો કે &nbsp;કમોસમી વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો છે.&nbsp;</p> <p><strong>રાજકોટ શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસ્યો વરસાદ&nbsp;</strong><br />રાજકોટ શહેર સહિત &nbsp;ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજકોટમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. &nbsp;સામાન્ય રીતે એપ્રિલ માસ શરૂ થતાં તાપમાનનો પારો રાજકોટમાં 40ને પાર થઇ જતો હોય છે જો કે હવામાનની પર્ટન બદલાતા આ વર્ષે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થયો છે.&nbsp;</p> <p><strong>કચ્છમાં બરબાદીનો વરસાદ</strong><br />કચ્છ અને સૌરાષ્ટ્રમાં બદલાયેલા હવામાનની સૌથી વધુ અસર થઇ રહી છે. એક બાજુ સૌરાષ્ટ્રમાં પોરબંદર દ્વારકાના વિસ્તારમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથેના વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે તો બીજી તરફ કચ્છમાં પણ 5 એપ્રિલ સુધી મધ્યમ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન વચ્ચે આજે કચ્છમાં પણ કમોસમી વરસાદની એન્ટ્રીએ ખેડૂતોની ચિંતા વધારી છે. આજે અબડાસા અને મુંદ્રામાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો, ઉપરાંત નલિયા, નરેડી, ખરાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા બગાયતી સહિતની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે.&nbsp;</p> <p><strong>ગીર સોમનાથના વેરાવળમાં આફતનો વરસાદ</strong><br />વેરાવળમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં ભર ઉનાળે ચોમાસા જેવું દ્વશ્ય સર્જાયું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતાં કેસર કેરીને પારાવાર નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હાલ કાચી કેરી આંબા પર રૂમેઝુમે આવી હોય છે આ સમયે ભારે પવનના કારણે કાચી કેરી ખરી જતાં નુકસાન વેઠવાનો વારો આવે છે. કેરી સિવાય શિયાળું તૈયાર થયેલા પાકને પણ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...