Skip to main content

કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી માવઠું શું ધબધબાટી બોલાવશે? આ તારીખે વરસાદની આગાહી


<ul> <li><strong>ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેમાં રાજકોટ 42.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે.</strong></li> <li><strong>હવામાન વિભાગે આગામી 19 અને 20 એપ્રિલે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે.</strong></li> <li><strong>આ દિવસે અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હળવો વરસાદ પડી શકે છે.</strong></li> <li><strong>બીજા દિવસે અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.</strong></li> <li><strong>5 દિવસના સૂકા વાતાવરણ બાદ રાજ્યમાં ફરી એકવાર વાતાવરણ બદલાશે, જેનાથી ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે.</strong></li> </ul> <p><strong>Gujarat unseasonal rain alert:</strong> ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ આકાશમાંથી સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યા છે અને મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધારતા માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસના સૂકા વાતાવરણ બાદ રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે. આગામી 19 અને 20 એપ્રિલે રાજ્યના 6 જેટલા જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠું) વરસી શકે છે, જેના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઊભો થવાની શક્યતા છે.</p> <p><strong>ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ?</strong></p> <p>વામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.</p> <p>19 એપ્રિલ: સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠું પડવાની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.</p> <p>20 એપ્રિલ: બીજા દિવસે પણ વરસાદી માહોલ ચાલુ રહેવાની સંભાવના છે. 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે.</p> <p><strong>ગરમીએ તોડ્યા રેકોર્ડ, રાજકોટ સૌથી ગરમ</strong></p> <p>વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ યથાવત છે. સુરજદાદા આકરા પાણીએ છે અને લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.</p> <p>રાજકોટમાં સૌથી વધુ કાળઝાળ ગરમી નોંધાઈ છે, જ્યાં તાપમાન 42.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું.</p> <p>અમરેલીમાં 41.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન સાથે લોકોએ ભારે બફારાનો સામનો કર્યો હતો.</p> <p>મધ્ય ગુજરાતમાં વડોદરાનો પારો પણ ઊંચકાઈને 41.4 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે મેગાસિટી અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે.</p> <p>આ સિવાય કચ્છના ભુજમાં 40.8 ડિગ્રી, પાટનગર ગાંધીનગર અને કેશોદમાં 40.6 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી તેમજ વિદ્યાનગરમાં 40.1 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...