Skip to main content

ગુજરાત કોંગ્રેસમાં ફફડાટ: ઉમેદવારો તૂટવાના ડરથી શરૂ કર્યું 'મિશન અજ્ઞાત', ઉમેદવારોને રાજસ્થાન...


<p><strong>Gujarat Congress Mission Unknown:</strong> ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે, પરંતુ હાલ કોંગ્રેસ છાવણીમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ભાજપ સત્તાના જોરે તેમના ઉમેદવારોને ફોડી નાખશે અથવા દબાણ કરીને ફોર્મ પાછા ખેંચાવી લેશે તેવા ડરથી પ્રદેશ કોંગ્રેસે હવે 'મિશન અજ્ઞાત' એટલે કે ઓપરેશન ગુપ્તવાસ શરૂ કરી દીધું છે. વલસાડ, સુરત, રાજકોટ સહિત રાજ્યભરના અલગ-અલગ શહેરોમાંથી સેંકડો કોંગ્રેસી ઉમેદવારોને રાતોરાત અંડરગ્રાઉન્ડ કરીને સેફ હાઉસમાં મોકલી દેવાયા છે. કોંગ્રેસનો સીધો આરોપ છે કે ભાજપ સત્તા, પોલીસ અને સ્થાનિક પ્રશાસનનો દુરુપયોગ કરીને બિનહરીફ જીતવા માટે 'સામ, દામ, દંડ અને ભેદ' ની નીતિ અપનાવી રહ્યું છે. ફોર્મ પાછા ખેંચવાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી આ તમામ ઉમેદવારો ગુપ્તવાસમાં જ રહેશે.</p> <p><strong>સુરત અને રાજકોટમાં કિલ્લેબંધી, ફોન પણ જમા લઈ લેવાયા</strong></p> <p>સૌથી મોટો ડર સુરત અને રાજકોટ મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યો છે. સુરતમાં કોંગ્રેસે પોતાના 40 જેટલા મજબૂત ઉમેદવારોને શહેરથી દૂર 11 અલગ-અલગ ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે. આ ઉમેદવારો માટે ખાસ સેફ હાઉસ બનાવીને કિલ્લેબંધી કરવામાં આવી છે. એટલું જ નહીં, કોઈનો સંપર્ક ન થઈ શકે તે માટે તેમના મોબાઈલ ફોન પણ જમા કરાવી લેવાયા છે અને પરિવાર સાથે વાતચીત કરવા પર પણ રોક લગાવી દેવાઈ છે. દરેક ઉમેદવાર સાથે બે ગુપ્ત 'શેડો' (પડછાયા જેવા) કાર્યકર્તાઓને તૈનાત કરાયા છે.</p> <p>બીજી તરફ, રાજકોટમાં પણ 20 જેટલા ઉમેદવારોને કાલાવડ બાજુના કોઈ ફાર્મ હાઉસમાં અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આ વાતની પુષ્ટિ કરતા ભાજપ પર પોલીસનો ડર બતાવીને ઉમેદવારો તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.</p> <p><strong>દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ 'ઓપરેશન ગુપ્તવાસ'</strong></p> <p>વલસાડ અને નવસારીમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. વલસાડ કોંગ્રેસે પોતાના 30 થી વધુ ઉમેદવારોને છેક રાજસ્થાન ખસેડી દીધા છે. જ્યારે નવસારીમાં પણ 30 થી વધુ ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરાયા છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલનો આક્ષેપ છે કે અધિકારીઓ ઉમેદવારોને ફોન કરીને ડરાવી રહ્યા છે અને ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે.</p> <p>મધ્ય ગુજરાતની વાત કરીએ તો, નડિયાદ મનપાની 52 બેઠકો સામે કોંગ્રેસે 50 ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેમાંથી 25 જેટલા ઉમેદવારોને દબાણના ડરથી અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે. વડોદરાના ડભોઈમાં પણ વોર્ડ નંબર 3, 5, 7 અને 9 ના આઠ જેટલા ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરાયા છે.</p> <p><strong>સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સાવચેત</strong></p> <p>ગાંધીનગર પાસે આવેલી કલોલ નગરપાલિકામાં ભાજપે 4 બેઠકો પર બિનહરીફ જીત મેળવી લેતા કોંગ્રેસ ચોંકી ઉઠી હતી, જેથી બાકીના 15 થી 20 જેટલા ઉમેદવારોને તરત જ અજ્ઞાત સ્થળે ખસેડી લેવાયા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર મનપાના 32 ઉમેદવારો ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. મોરબીમાં પણ મહાનગરપાલિકાના 4 અને માળીયા તાલુકા પંચાયતના 3 મળીને કુલ 7 ઉમેદવારોને કોઈ ગુપ્ત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ટૂંકમાં, આખી ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારોને સાચવવા એ કોંગ્રેસ માટે એક મોટો પડકાર બની ગયો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...