Skip to main content

Gujarat local body elections: સુરતમાં AAPના ઉમેદવારોનો વિરોધ, તો અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ


<p>Gujarat local body elections:&nbsp;સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો લોકોએ વિરોધ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના વોર્ડ નંબર-1 અમરોલી વિસ્તારમાં મિટિંગ માટે AAPના ઉમેદવારો પહોંચ્યા હતા. આ સમયે સોસાયટીના સ્થાનિકોએ વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. AAPના ઉમેદવાર કલ્પેશ બારોટ સહિત ચારેય ઉમેદવારોનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જય શ્રી રામના નારા સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો થતા આપના ઉમેદવારોએ ત્યાંથી ચાલતી પકડી હતી.&nbsp;</p> <p><strong>સુરતમાં ભાજપમાં ઉકળતો ચરુ</strong></p> <p>સુરતમાં ભાજપમાં પણ ટિકિટ ન મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે. અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ પૂર્ણેશ મોદીનો પણ ઘેરાવ કર્યો હતો. વોર્ડ નં.10માં ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ જોરદાર નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ઉમેદવારને બાકાત રખાતા સ્થાનિકોમાં જોરદાર આક્રોશ છે. અડાજણ ગામ, પાલ, ભાઠા ગામના લોકોએ રેલી યોજી વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો બેનર સાથે ભાજપના કાર્યાલય પર પહોંચ્યા હતા. વોર્ડ નં.10ના કાર્યાલય સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.&nbsp;</p> <p><strong>ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલીમાં BJPના MLAના પત્ની ભૂલ્યા ભાન</strong></p> <p>અમરેલી જિલ્લાના ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયાના પત્ની કોકીલાબેન કાકડીયાનો વીડિયો સામે આવ્યો છે. જિલ્લા પંચાયતના ફોર્મ ભરતા સમયે કોકીલાબેન કાકડીયાએ આપેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ભાજપ સરકાર અંગે વિવાદિત નિવેદન આપતા જોવા મળ્યા હતા. વીડિયોમાં તેમણે 'વિધર્મી' તત્વોના નાશ સંદર્ભે વાત કરી હતી. જેને લઈ રાજકીય વિવાદ થવાની શક્યતા છે.</p> <p>કોકીલાબેને પોતાના નિવેદનમાં સરકારને લઈને કડક શબ્દો વાપર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. તો બીજી તરફ વિરોધ પક્ષોએ શાસક પક્ષને આડે હાથ લેવાની તક ઝડપી લીધી છે.</p> <p>વીડિયોમાં કોકીલાબેન કાકડિયા કહી રહ્યા છે કે ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝૂંબેશ શરૂ કરી છે. સાથે મળી વિધર્મીઓને નાશ કરીએ. કોકીલા કાકડિયાના નિવેદનથી મોટો વિવાદ સર્જાઈ શકે છે. જોકે આ અંગે સવાલ કરાતા કોકીલા કાકડિયાએ કહ્યું કે મે કોઈને મારી નાખવાનું નથી કીધું. બીજી તરફ કોકીલાબેનના નિવેદન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. પ્રતાપ દૂધાતે કહ્યું કે ભાજપ મતદારોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે.</p> <p><strong>ભાજપના MLA મહેન્દ્ર પાડલિયાનું વિવાદાસ્પદ નિવેદન</strong></p> <p>રાજકોટના જેતપુરમાં ભાજપના MLA મહેન્દ્ર પાડલિયાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા, અમે ઉમેદવાર આપ્યા છે. તમારું ખરાબ ન દેખાય એટલે અમે ઉમેદવાર આપ્યા છે. જેતપુર જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.&nbsp;</p> <p>મહેન્દ્ર પાડલિયાના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. લલિત વસોયાએ કહ્યું હતું કે મહેન્દ્ર પાડલિયા માનસિક અસ્થિર છે. મહેન્દ્ર પાડલિયા સામે ભાજપે પગલા લેવા જોઈએ. ચૂંટણી સમયે પાડલિયાએ માનસિકતા ગુમાવી દીધી છે. ભાજપે કોંગ્રેસને નહીં આપને ઉમેદવાર આપ્યા છે. પાડલિયાથી ભાજપના કાર્યકરો નારાજ છે. મતદારોનું ધ્યાન ભટકાવવા પાડલિયા વાહીયાત નિવેદન કરે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...