Skip to main content

Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન


<p><strong>Gujarat Rain Forecast:</strong>Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વેઘરની પેર્ટન ચેન્જ થવાના કારણે ઉનાળામાં કાળઝાળ ગરમીના બદલે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો. જો કે હવે આગામી દિવસમાં રાજ્યમાં કેવું હવામાન રહેશે, તે વિશે જાણીએ.. હવામાન વિભાગે આજે અને કાલે એમ 9 એપ્રિલ સુધી છૂટછવાયો &nbsp;હળવા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને કેટલાક વિસ્તારમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. જો કે 10 એપ્રિલથી ફરી ઉનાળામાં જે ગરમી પડે તેવી જ ગરમીનો ફરી અનુભવ થશે, 10 એપ્રિલથી રાજ્યના તાપમાનમાં 3થી4 ડિગ્રીનો વધારો થતાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ શકે છે. હવામાન વિભાગે 10 એપ્રિલ બાદ વરસાદની શક્યતાને નકારી છે. જો કે 11 એપ્રિલે વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. આ સિસ્ટમ ભારતમાં વરસાદ લાવશે પરંતુ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે વરસાદની કોઇ શક્યતા નથી. આ સિસ્ટમના કારણે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં વરસાદ વરસી શકે છે.&nbsp;</p> <p>વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 7થી 8 એપ્રિલે હવામાન વિભાગે છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. આ શક્યતાની &nbsp;વચ્ચે છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ વરસ્યો. રંગપુર, જોડાવાંટ, ફેરકુવા, ખડકવાડા કમોસમી &nbsp;વરસાદ વરસતા &nbsp;ખેડૂતોમાં ચિંતા વધી છે. મકાઈ, મગફળી, તુવેર સહિતના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે. ગઈકાલે ખાબકેલા કમોસમી વરસાદથી માણસામાં મોટું નુકસાન થયું છે. માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનથી ખાબકેલા વરસાદે નુકસાન નોતર્યું છે. માણેકપુર, દેલવાડ, ગ્રામભારતી અને અંબોડ સહિતના વિસ્તારોમાં નુકસાન થયું છે. ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક સોલાર પેનલ ઉડી જતા નુકસાન થયું છે. માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં બાજરી, જુવાર, તમાકુના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતા વધી છે.&nbsp;</p> <p><strong>દિલ્હી-એનસીઆર સહિત આ રાજ્યોમાં વરસાદ</strong><br />હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પંજાબમાં ખરાબ હવામાન માટે ચેતવણી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન આ વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આનાથી તાપમાનમાં ઘટાડો થવાની અને ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે</p> <p><strong>વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી &nbsp;પવનની દિશામાં ફેરફાર</strong><br />પશ્ચિમી વિક્ષેપોને કારણે એપ્રિલમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. આ વિક્ષેપોની અસર ગુજરાત સહિત મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામ, પૂર્વોત્તર રાજ્યો અને આંધ્રપ્રદેશ સુધી દક્ષિણમાં અનુભવાઈ રહી છે. હવામાનમાં આ ફેરફાર પશ્ચિમી વિક્ષેપોની અસર તેમજ પવનની દિશામાં ફેરફારને કારણે છે. પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે આંશિક વાદળછાયું આકાશ અને હળવો વરસાદ થવાની સંભાવના છે.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...