Skip to main content

Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન


<p>ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા પર માવઠાનું સંકટ હજુ પણ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે તાત્કાલિક અસરથી (નાઉકાસ્ટ) આગામી 3 કલાક માટે રાજ્યના 16 જેટલા જિલ્લાઓ અને સંઘ પ્રદેશોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આજે રાતના 7 થી 10 વાગ્યા સુધીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડી શકે છે. આટલું જ નહીં, આગામી 7 એપ્રિલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 8 એપ્રિલથી ફરી ગરમીનો પારો ઊંચકાશે.</p> <p><strong>આગામી 3 કલાક ક્યાં પડશે વરસાદ?&nbsp;</strong></p> <p>હવામાન વિભાગે જારી કરેલા નાઉકાસ્ટ મુજબ, આજે રાત્રે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો સમય ખૂબ જ મહત્વનો છે. આ 3 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી, તેમજ કચ્છમાં વાતાવરણ પલટાઈ શકે છે. આ સાથે જ મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક જેટલી તેજ રહેવાનું અનુમાન છે.</p> <p><strong>7 એપ્રિલે પણ આ જિલ્લાઓમાં રહેશે માવઠાની અસર</strong></p> <p>જો તમને લાગતું હોય કે આજે વરસાદ પડ્યા પછી રાહત મળી જશે, તો એવું નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ બાદ એટલે કે 7 એપ્રિલે ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળશે. 7 એપ્રિલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.</p> <p><strong>8 એપ્રિલથી ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ</strong></p> <p>ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે આ કમોસમી વરસાદનો દોર લાંબો સમય ચાલવાનો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 એપ્રિલ બાદ આ વાદળછાયા અને વરસાદી વાતાવરણની અસર પૂરી થશે અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો સીધો વધારો નોંધાશે. તાપમાન વધતાની સાથે જ રાજ્યમાં ગરમીનો પારો ફરીથી ઊંચકાશે અને લોકોને ઉનાળાની આકરી ગરમીનો સામનો કરવો પડશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...