Skip to main content

Gujarat Weather: રાજ્યમાં ગરમીનો રાઉન્ડ થશે શરૂ, આગામી 5 દિવસ માટે અપાયું યલો એલર્ટ


<p><strong>Gujarat Weather:</strong>છેલ્લા કેટલાક દિવસથી વેઘરની પેર્ટન ચેન્જ થતાં આ વર્ષે માર્ચમાં ઉનાળામાં જે ગરમી પડે, તેવી ગરમીનો અનુભવ ન થઇ શક્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતાં &nbsp;ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ માવઠું થયું છે. જો કે હવે માવઠાનું સંકટ ટળ્યું છે. &nbsp;હવામાન વિભાગે હવે તાપમાનમાં વધારો થવાના સંકેત આપ્યાં છે. આગામી દિવસોમાં &nbsp;4 ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.</p> <p>ઉલ્લેખનિય છે કે, 11 એપ્રિલે વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે આ સિસ્ટમ ભારતના દક્ષિણ અને પૂર્વ વિસ્તારને અસર કરશે અને આ વિસ્તારમાં તેના કારણે કમોસમી વરસાદ થશે. પરંતુ આ સિસ્ટમથી ગુજરાતના વાતાવરણમાં કોઇ અસર નહિ થાય. આકશ સ્વસ્છ રહેશે અને તાપમાનો પારો ઉંચે જતાં અકળાવતી ગરમીનો અનુભવ થશે</p> <p>&nbsp;11થી 14 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે. છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 36.7 સૌથી વધુ તાપમાન નોંધાયુ. અમદાવાદમાં 36.6 અને ગાંધીનગર 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હાલ ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી.</p> <p>તો બીજી તરફ અન્ય રાજ્યોની વાત કરીએ તો&nbsp;દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત આઠ રાજ્યોમાં હવામાન ચેતવણી જાહેરી કરવામાં આવી છે. આ રાજ્યોમાં ભારે&nbsp; પવન સાથે વરસાદની આગાહી છે. IMD અનુસાર, કેટલાક રાજ્યોમાં પાંચથી છ દિવસ સુધી તોફાન અને વરસાદ ઓછો થઈ શકે છે. જોકે, અન્ય ઘણા રાજ્યોમાં ભારે વરસાદ તબાહી મચાવશે. દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.</p> <p>રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર &nbsp;ચાલુ રહેશે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, 10 એપ્રિલ એટલે કે આજથી &nbsp;હવામાનમાં સુધારો થવાની ધારણા છે અને રાજસ્થાનમાં મોટાભાગે શુષ્ક હવામાન રહેશે. IMD મુજબ, 10 &nbsp;એપ્રિલથી આગામી ચારથી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. 11 &nbsp;એપ્રિલથી તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે. શ્રી ગંગાનગર, હનુમાનગઢ અને નાગૌર જેવા જિલ્લાઓમાં પણ કરા પડવાની સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજધાની જયપુરમાં પણ ભારે પવન સાથે &nbsp;વરસાદ પડવાની ધારણા છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. હાલમાં, 10થી વધુ &nbsp;શહેરોમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. જોધપુર, બિકાનેર, શ્રી ગંગાનગર, હનુમાનગઢ, ચુરુ, ઝુનઝુનુ, સીકર, જયપુર, દૌસા, અલવર, નાગૌર, ટોંક, ભરતપુર અને ધોલપુર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જોકે, આ વર્ષે મે અને જૂનમાં પણ ભારે ગરમી પડવાની આગાહી છે.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...