Skip to main content

Gujarat Weather: કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી


<p><strong>Gujarat Weather :</strong> હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.&nbsp; હવે આવનારા દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. &nbsp; હવામાનની આગાહી હવે અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે. આજથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે.</p> <p><strong>આજે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ</strong></p> <p>છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્રણ વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. &nbsp;હવામાન વિભાગ અનુસાર, આંધી તોફાન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p> <p><strong>રાજયના તાપમાનમાં થશે વધારો</strong></p> <p>ગુજરાતમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે. આ કારણે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આ પવનો અને વધતા તાપમાનના કારણે ખાસ કરીને રાજ્યના તટીય વિસ્તારમાં લોકોને ભારે ગરમી અને અકળામણનો અનુભવ થશે. ગુજરાતમાં સામાન્ય રીતે દરેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરતાં નથી પરંતુ જ્યારે આ સિસ્ટમ મજબૂત બને છે ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે છે.</p> <p>એપ્રિલ મહિનાના મધ્ય સુધી બીજી કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના જોવા નથી મળી. હાલની આ સિસ્ટમ આગળ જતી રહે ત્યારબાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદની કોઈ સંભાવના નથી.&nbsp;</p> <p>રાજ્યમાં સામાન્ય રીતે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે. અમદાવાદમાં 35.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. &nbsp;આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચકાશે જેથી નાગરિકોને કાળઝાળ ગરમીનો સામનો કરવા પડશે.</p> <p><strong>દેશમાં એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસશે</strong></p> <p>Skymet એ 2026 ચોમાસા માટે તેની પહેલી આગાહી જાહેર કરી છે, આ વર્ષે દેશમાં એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે. જૂન સારો રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર સુધી વરસાદ નબળો પડી શકે છે.</p> <p>Skymet ની પહેલી આગાહી મુજબ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો એકંદર વરસાદ સામાન્ય કરતાં 6% ઓછો હોઈ શકે છે. એજન્સીએ તેને LPA ના 94% પર મૂક્યો છે. LPA એટલે લાંબા ગાળાની સરેરાશ, અને ભારતમાં ચોમાસાને માપવા માટે આ બેઝલાઇન ધોરણ છે. સ્કાયમેટે એમ પણ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુના મધ્યમાં અલ નીનોની અસર વધુ મજબૂત બની શકે છે, જે વરસાદને નબળો પાડી શકે છે, ખાસ કરીને જુલાઈથી સપ્ટેમ્બર સુધી.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...