

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું
- આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે.
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.
અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. બસપા અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ ટક્કર આપી હતી.
આ વોર્ડમાં જેમના રાજીનામાથી ચૂંટણી આવી પડી હતી એ હિતેશભાઈ બજરંગ આમઆદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ બન્યા છે અને પોતાના વોર્ડમાં આપના ઉમેદવારને જીતાડવાની જવાબદારી પ્રતિષ્ઠાના જંગ બરાબર હતી. તો ભાજપ માટે આ બેઠક જાળવી રાખવાની ચિંતા હતી. હવે આ બેઠક ઉપર કોણ જીતશે..? અને કોણ હારશે..? તે સાંજ સુધીમાં ખબર પડી જશે.
Comments
Post a Comment