Skip to main content

કૉંગ્રેસે ગુજરાત વિધાનસભામાં દંડક તરીકે આ દિગ્ગજ નેતાનું નામ જાહેર કર્યું, જાણો


<p>ગુજરાત કૉંગ્રેસે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ઉપનેતા, દંડક, નાયબ દંડક, ખજાનચી સહીત અન્ય પદો પર હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.&nbsp; આખરે વિધાનસભામાં દંડકના નામની જાહેરાત કરી છે. &nbsp;કૉંગ્રેસે વિધાનસભાના દંડક તરીકે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અને અમદાવાદના પ્રભારી સી.જે.ચાવડાને જવાબદારી સોંપી છે. સીજે ચાવડાને કૉંગ્રેસે ગુજરાત વિધાનસભામાં દંડક બનાવ્યા છે. નાયબ દંડક તરીકે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને જવાબદારી સોંપાઈ છે. વિધાનસભામાં ઉપનેતા પદે કૉંગ્રેસે અમદાવાદની દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષ પરમારને યથાવત રાખ્યા છે.&nbsp;</p> <p>કૉંગ્રેસે વિધાનસભાના છ પ્રવક્તા પણ જાહેર કર્યા છે. &nbsp;વિધાનસભા કૉંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાની જવાબદારી પૂંજા વંશ અને વીરજી ઠુમ્મરને સોંપાઈ છે. &nbsp;અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોરને પણ પ્રવક્તા બનાવાયા છે. આ ઉપરાંત અંબરીશ ડેર, નૌશાદ સોલંકી અને કિરીટ પટેલને પણ પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે. &nbsp;જ્યારે નિરંજન પટેલને વિપક્ષના ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી છે.&nbsp;</p> <p><strong>તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દતમાં &nbsp;વધારો&nbsp;</strong></p> <p>રાજ્યમાં તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની તારીખમાં રાજ્ય સરકારે બે દિવસ વધારવાની જાહેરાત કરી છે. 15 ફેબ્રુઆરી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ હતી પરંતુ હવે ફોર્મ ભરવાની તારીખમાં બે દિવસ એટલે કે વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. &nbsp;21 તારીખ સુધી ફી ભરવાામાં આવશે.&nbsp;</p> <p>રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 28 જાન્યુઆરીથી તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભરતી અંગેના ફોર્મ &nbsp;https://ift.tt/2AeLrjy પરથી ભરી શકાશે. &nbsp;હવે 17 ફેબ્રુઆરી સુધી ભરી શકશે ફોર્મ, ફોર્મ ભરવાની મુદ્દતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.&nbsp;</p> <p>ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે &nbsp;નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે &nbsp;મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર &nbsp;ઓનલાઇન અરજી કરવાની રહેશે. &nbsp;ઓનલાઈન અરજી કરવામાં છેલ્લા ઘણા સમયથી સર્વર ડાઉન હોવાના કારણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. રાજ્ય સરકારે ફોર્મ ભરવાના સમયમાં બે દિવસનો વધારો કર્યો છે. વિદ્યાર્થીઓ હવે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.&nbsp;</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>